Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 210
________________ સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ ૧૮૭ પળાય તે નિયત નથી માટે “યાવજીવનું જ વ્રત આપવામાં આવે છે. તેથી તે જીવ મર્યા પછી દેવલોકાદિમાં જાય અને દેવાંગનાઓ સાથે કામ ક્રીડા આદિ કરે તો પણ તેના વ્રતનિયમનો ભંગ થતો નથી. કારણ કે માવજીવનાં જ પચ્ચખ્ખાણ કર્યા હતાં. તેમ તમારા મતે તો જીવતાં આવતાં પણ મૃત્યુ પામ્યા પહેલાં પણ કોઈ સાધુ કોઈ સ્ત્રી આદિની સાથે) કામભોગાદિનું સેવન કરે તો પણ “આટલી જ મારી શક્તિ છે. હવે નથી.” એમ કહીને દોષો સેવશે તો પણ વ્રત ભંગ થયો ગણાશે નહીં કારણ કે મારી આટલી જ શક્તિ હતી. એટલે હવે હું ભોગોને ભોગવું છું ઇત્યાદિ વિચારવાળા જીવને જીવવા છતાં ભોગોનું આસેવન કરે તો પણ તમારા મતે દોષો લાગશે નહીં. કારણ કે “મારી આટલી જ શક્તિ હતી” એમ સમજીને વિષય સેવન આદિ કર્યું છે. આવો અર્થ થશે. જૈન શાસનમાં આવું ક્યાંય જોવાયું પણ નથી. અને મનાયું પણ નથી. જૈન શાસનની આવી પ્રણાલિકા ક્યાંય દેખાતી નથી. . (૨) તથા વળી પ્રત્યાખ્યાન અનવસ્થા નામનો બીજો દોષ પણ આવશે. “આટલી જ મારી શક્તિ છે” આવા બહાના નીચે તો ગમે ત્યારે વ્રત છોડી દેશે. કારણ કે વ્રતના ભંગનો ભય જ નહીં રહે. આવો જ આ જીવ બચાવ કરશે કે મારી શક્તિ આટલી જ હતી. એટલે વારંવાર ભોગોને ભોગવશે અને વારંવાર (કામ પતી જાય પછી) પચ્ચખ્ખાણ કરશે. એટલે વ્રત પાળવાની કોઈ સીમા જ નહીં રહે. જયારે મન ન માને ત્યારે વ્રત ત્યજી શકાય આવો અર્થ થશે જે અર્થ ઉચિત નથી. (૩) તથા વળી વ્રતોના ભંગમાં અતિચાર દોષો લાગે છે. શ્રાવકના ૧૨ વ્રતના ૧૨૪ અતિચારો છે. તથા તે અતિચારો (દોષો) સેવવામાં પ્રાયશ્ચિત્ત આવે છે. કોઈ પણ એક વ્રતનો ભંગ થાય તો અંશે અંશે સર્વ પણ વ્રતનો ભંગ થાય છે. અને સર્વવ્રત નિરતિચારપણે પાળવાં જોઈએ. “આવી જે શાસ્ત્રકાર ભગવંતોએ બતાવેલી રૂઢ મર્યાદા છે. તે મર્યાદા તમારા અભિપ્રાય પ્રમાણે તો રહેતી જ નથી. આવા બધા દોષો આવે છે. આ વાત સમજાવતાં શાસકાર ભગવંત સયુક્તિક જણાવે છે કે - (૪) પતાવતી પર્વ મમ વિત?આટલી જ મારી શક્તિ છે આવું બહાનું લઈને આવા વિચારોના કારણે ગમે ત્યારે આ જીવ પચ્ચખ્ખાણ છોડી દે. અને દોષ સેવે તો પણ તે સાધુને તમારા અભિપ્રાય પ્રમાણે તો કોઈ પણ અતિચાર કે દોષ લાગશે નહીં કોઈ પણ જાતનો વ્રત ભંગ થશે નહીં. આવો વ્રત ભંગ કરવા છતાં કોઈ પ્રાયશ્ચિત્ત પણ આવશે નહીં. કારણ કે મારી આટલી જ શક્તિ છે આમ કહીને તે જીવ છૂટ લઇ લેશે.

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278