________________
૧૭૦ અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ અને કર્મ અત્યન્ત એકમેક થયેલાં છે.” તો તમારા સિદ્ધાન્ત પ્રમાણે મોક્ષનો અભાવ જ થાય. કારણ કે આત્મપ્રદેશોની સાથે કર્મોનો અવિભાગ પણે તાદાત્મ રૂપે એકમેક થઈને કર્મો રહેલાં છેઆમ જો માનીએ તો મોક્ષ થશે જ નહીં. આ પ્રમાણે અહીંથી ગોષ્ટામાહિલની નવી દષ્ટિ પ્રગટ થઈ. | ૨૫૧૫ ||
અવતરણ - ગોખમાહિલે એકાને માનેલી વાતને પ્રમાણપૂર્વક રજૂ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે न हि कम्मं जीवाओ, अवेइ अविभागओ पएसोव्व । तदणवगमादमुक्खो , जुत्तमिणं तेण वक्खाणं ॥ २५१६ ॥
ગાથાર્થ - કર્મ એ જીવથી દૂર થતું નથી. જીવના પ્રદેશ રાશિની જેમ અવિભાગવાળું હોવાથી અને તે કર્મ દૂર ન થવાથી મોક્ષનો અભાવ જ થશે. તેથી આ વ્યાખ્યાન બરાબર નથી પણ) મારૂં હવે કહેવાતું વ્યાખ્યાન બરાબર છે (જે હવે પછીની ગાથામાં સમજાવશે) | ૨૫૧૬ ||
વિવેચન - કર્મ ક્યારે ય પણ જીવથી ભિન્ન થતું નથી. ન્યાયની પરિભાષા પ્રમાણે આ પ્રતિજ્ઞા થઈ. હવે હેત કહે છે. આત્મા અને કર્મ પરમાણુઓનો વદ્ધિ અને અયોગોલકની જેમ અત્યન્ત અવિભાગ (અભેદ) છે તે માટે, હવે દષ્ટાન્ત જણાવે છે - જેમ આત્માના પ્રદેશોની રાશિ આત્માથી જેમ અભિન્ન છે તેનો ભેદ થતો નથી તેમ. આ ઉદાહરણ જાણવું. આ સંસારમાં જે વસ્તુ જેનાથી અભેદ પણે રહેલી હોય છે. તે વસ્તુ તેનાથી ભિન્ન થતી નથી.” જીવ અને કર્મનો પણ અવિભાગ (અભેદ) તમારા વડે મનાય છે તેથી તે કર્મ આત્માથી ક્યારેય ભિન્ન થતું નથી. (આ વ્યાપ્તિ જાણવી.)
આ પ્રમાણે તે કર્મનો જીવથી અનપગમ (અવિયોગ) થવાથી સદાકાળ આ જીવ સકર્મક રહેવાથી મોક્ષનો અભાવ થશે. માટે હે વિધ્ય મુનિ ! તમારું વ્યાખ્યાન દોષિત છે પણ મારું હવે કહેવાતું આ વ્યાખ્યાન કરવું બહુ જ ઉચિત છે. || ૨૫૧૬ ||
અવતરણ - ગોખમાહિલનું તે વ્યાખ્યાન શું છે ? કે જેમાં તેઓને દોષ દેખાતો નથી. તે વ્યાખ્યાન જણાવે છે -
पुट्ठो जहा अबद्धो, कंचुइणं कंचुओ समन्नेइ । एवं पुट्ठमबद्धं, जीवं कम्मं समन्नेइ ॥ २५१७ ॥
ગાથાર્થ - જેમ કંચુક (કાંચળી) સર્પની ચારે બાજુ લાગેલી છે. તેમ માત્ર પૃષ્ટ પણ અબદ્ધ (એકમેક ન થયેલા) એવાં કર્મ જીવની ચારે બાજુ લાગેલાં છે. ૨૫૧ણા
વિવેચન :- જેમ પૃષ્ટ એટલે કે સ્પર્શમાત્રથી સંયુક્ત પણ ક્ષીરનીરના ન્યાયે એકમેક