________________
૧૮૦
અબદ્ધ કર્મવાદ નિહ્નવવાદ પણ શરીરની અંદર અને ઉ૫૨ નીચે ગમનાગમન કરે છે. પણ ભવાન્તરમાં સાથે આવતું નથી. તેમ કર્મ પણ ભવાન્તરમાં સાથે આવનાર બનશે નહીં.
પ્રશ્ન :- “ચનમાળે વૃત્તિ' આવા પ્રકારનું શાસ્ત્રવચન હોવાથી કર્મમાં ચલનક્રિયા કહેલી જ છે. ચલન એટલે સંચારણ એવો જ અર્થ થાય છે. તો પછી કર્મમાં સંચારણનો નિષેધ તમારા વડે કેમ કરાય છે ?
ઉત્તર :- આવો કોઇ પ્રશ્ન કરે તો પ્રશ્ન જ અયુક્ત છે. કારણ કે શાસ્રના અભિપ્રાય શું છે ? તેનો આ પ્રશ્નકારને ખ્યાલ નથી માટે જ આવો પ્રશ્ન કરે છે. અને તે સર્વથા ખોટો જ છે. શાસ્ત્રમાં તો “નેડું” નાવ વેમાળિય્ ચતિયં નીવાડ જમ્મ નિષ્નર' આવા પ્રકારનું વચન હોવાથી “નિીર્થમાળ નિીળમ્” આવા પ્રકારના આગમપાઠના આધારે જે સમયે જે કર્મ નિર્જરા પામ્યું અર્થાત્ ક્ષય પામ્યું. આમ કહેલું છે તે કર્મ તે સમયે ક્ષય પામ્યું અર્થાત્ તે કર્મ અકર્મપણાને પામ્યું આત્માથી છૂટુ પડી ગયું અર્થાત્ કાર્યણવર્ગણા જ બની ગઈ તેથી પુદ્ગલ દ્રવ્ય માત્ર બનવાથી મધ્યમાં ગયું હોય તો પણ તે કર્મસ્વરૂપે ન હોવાથી વેદનાને ઉત્પન્ન કરી શકતું નથી.
જે વસ્તુ કર્મ રૂપે નથી હોતી તે વસ્તુ જીવને વેદના ઉત્પન્ન કરી શકતી નથી. જેમ કે આકાશ. અથવા પરમાણુસ્વરૂપ પુદ્ગલ દ્રવ્ય. આ પદાર્થો કર્મસ્વરૂપ ન હોવાથી જીવને જેમ પીડા કરતા નથી. તેમ કર્મ પણ નિર્જરા પામ્યું છતું અકર્મરૂપ બન્યું છતું કાર્પણ વર્ગણા સ્વરૂપ બન્યું છઠ્ઠું જીવને વેદના કરવામાં અસમર્થ છે. તેથી આ પ્રમાણે અનેક દોષો વડે આ ગોષ્ઠામાહિલની વિચારણા દુષ્ટ હોવાથી કર્મનું શરીરની અંદર ગમનાગમન માનવું તે અયુક્ત જ છે. I૨૫૨૯લા
અવતરણ :- આત્મપ્રદેશોમાં ઉપરની જેમ મધ્યમાં પણ કર્મ છે આ વાત સિદ્ધ કરવા માટે પ્રમાણ જણાવતાં પ્રકારશ્રી જણાવે છે કે :
अंतो वि अत्थि कम्मं, वियणासब्भावओ तयाएव्व । मिच्छत्ताईपच्चय, सब्भावाओ य सव्वत्थ ।। २५३० ॥
ગાથાર્થ ઃ- શરીરના અંદરના ભાગમાં પણ કર્મ છે જ. વેદના હોવાથી, જેમ ત્વચાની ઉપ૨ કર્મ છે તેમ અંદર પણ છે. તથા મિથ્યાત્વ આદિ નિમિત્તોનો અંદર પણ સદ્ભાવ હોવાથી કર્મ સર્વ પ્રદેશોમાં છે. (માત્ર ઉપર ઉપર જ છે આમ નથી) ॥ ૨૫૩૦ II
વિવેચન ઃ- “શરીરની અંદર પણ કર્મ છે. “આ પ્રતિજ્ઞાવાળું વાક્ય થયું.” “શરીરની અંદર પણ વેદના હોવાથી” “આ હેતુવાચી વાક્ય થયું. “ત્વચાના છેડાની જેમ” આ દૃષ્ટાન્ત સમજવું.