________________
૧૭૨ અબદ્ધ કર્મવાદ
નિદ્વવવાદ પણે જ કરાતું હોય તો જ કલ્યાણનો હેતુ હોવાથી શ્રેયર અર્થાત્ આત્માના કલ્યાણને કરનારું બને છે. જેઓના વ્યાખ્યાનમાં પચ્ચશ્માણ માવજીવાદિના કાળમર્યાદાવાળું જ કહેવાય છે. સમજાવાય છે. તેઓના મતે આ પચ્ચક્માણ કાળમર્યાદાવાળું હોવાથી આ કાળસીમા પુરી થયા પછી તે તે વસ્તુનો ઉપભોગ કરી શકાશે આવી આશંસાનો દોષ તેમાં રહે છે. માટે આશંસાના દોષથી દુષ્ટ હોવાથી આવા પ્રકારનું આ પચ્ચશ્માણ કરવું તે દોષયુક્ત છે નિર્દોષ નથી. / ૨૫૧૯ |
અવતરણ - ગ7 માધ્યમ્ - આ ગાથા ઉપર ભાષ્યકાર મહારાજ કહે છે :आसंसा जा पुण्णे सेविस्सामित्ति दुसियं तीए । जेण सुयम्मि वि भणियं, परिणामासुद्धिसुद्धं तु ॥ २५२० ॥
ગાથાર્થ - થાવજીવના પચ્ચર્માણમાં આશંસા છે. કારણ કે જ્યારે આ પચ્ચક્ષ્મણનો કાળ સંપૂર્ણ થાય ત્યારે હું તે વસ્તુને સેવીશ. આમ આવી ભાવના રહેલી હોવાથી દૂષિત છે. જે કારણથી શાસ્ત્રમાં આવું કહેવું છે કે જો પરિણામની અશુદ્ધિ હોય તો પચ્ચખ્ખાણ અશુદ્ધ જ કહેવાય . ૨૫૨૦ || | વિવેચન - વાવજીવનું પચ્ચખ્ખાણ કરવામાં આવે તેમાં આશંસા (ભવિષ્યમાં તે વિષય સેવવાની બુદ્ધિ) હોવાથી આ પચ્ચખ્ખાણ દુષિત છે ત્યાં પ્રશ્ન થાય છે કે માવજીવનું પચ્ચશ્માણ કરવામાં કેવી રીતે આશંસા થાય? તેનો ઉત્તર એ છે કે, આવા પ્રકારના વિષયભોગના જે પરિણામ છે તે જ મોટો દોષ છે.
પ્રશ્ન :- તે કેવા પ્રકારનો પરિણામ છે ? હું માવજીવનું જ પચ્ચક્માણ કરું છું તેથી પચ્ચશ્માણ સમાપ્ત થયે છતે પરભવમાં “દેવલોકાદિના ભવમાં સુરાંગનાદિની સાથે સંભોગાદિ ભોગસુખોને હું ભોગવીશ.” આવા પ્રકારના અધ્યવસાય સ્વરૂપ જે આશંસા છે તે આશંસા વડે પચ્ચખ્ખાણ દુષિત થાય છે.
કેમ દુષિત થાય છે ? તો શાસ્ત્રમાં પણ એટલે કે આગમમાં પણ કહ્યું છે કે - દુષ્ટપરિણામ સ્વરૂપ અશુદ્ધિવાળુ હોવાથી તે પચ્ચખ્ખાણ અશુદ્ધ છે. આગમનો સાક્ષિપાઠ આ પ્રમાણે છે
सोही सद्दहणा जाणणा य, विणएऽणुभासणा चेव । अणुपालणा विसोही, भावविसोही भवे छट्ठी ॥ १ ॥
ગાથાર્થ - (૧) શુદ્ધિ, (૨) શ્રદ્ધા, (૩) જાણપણું (૪) વિનય, (૫) અનુભાષણ અને અનુપાલન. તથા (૬) વિશુદ્ધિ એટલે કે છઠ્ઠી ભાવવિશુદ્ધિ જાણવી. આમ છ શુદ્ધિ