________________
ષષ્ઠમ નિદ્ધવ રોહગુખ મુનિ
૧૬૧ પોતાના બંધાયેલા આગ્રહના વશથી પોતાની સ્વતંત્ર બુદ્ધિ પ્રમાણે દ્રવ્ય-ગુણ-કર્મ આદિ પદાર્થોને આશ્રયી વૈશેષિક મતની પ્રરૂપણા કરાઈ.
તથા ત્યાં તે રોહગુપ્તના જ વિચારવાળા તેના અન્ય અન્ય શિષ્યો વડે તે મતનું સ્થાપન કરાયું આ વૈશેષિક દર્શન વધારે વધારે ખ્યાતિને પમાડાયું. મિથ્યાત્વમાં વધારો કરાયો. || ૨૫૦૬-૨૫૦૭ ||
અવતરણ :- આ વક્રતા રખાવનારનું નામ તો વાસ્તવિક “રોહગુપ્ત” જ હતું. તો આ ગ્રન્થરચનામાં વારંવાર “ધડુલૂક આવું નામ કેમ કહેવાયું?
नामेण रोहगुत्तो, गोत्तेणालप्पए स चोलूओ । दव्वाइ छप्पयत्थोवएसणाओ छलुओत्ति ॥ २५०८ ॥
ગાથાર્થ :- આ મુનિ નામથી તો તે રોહગુપ્ત જ નામવાળા હતા. પરંતુ તે દ્રવ્યાદિ છ પદાર્થોનો જ ઉપદેશ કરનાર હોવાથી પડુલૂક એવા નામે કહેવાયા. || ૨૫૦૮ //
વિવેચન :- નામવડે આ રોહગુપ્ત મુનિ હતા. પરંતુ ઉલૂક નામના ગોત્રમાં ઉત્પન્ન થયેલા હોવાથી આ ઉલૂક એના નામે પ્રસિદ્ધિને પામ્યા. દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ અને સમવાય લક્ષણવાળા છ પદાર્થોની પ્રરૂપણા કરવા વડે છ પદાર્થો જ છે પ્રધાનપણે જેની બુદ્ધિમાં એવો આ રોહગુપ્ત ઉલૂક. તે પડુલૂક આ પ્રમાણે પ્રસિદ્ધિને પામ્યો. આ પ્રમાણે આ રોહગુપ્ત નામનો છઠ્ઠો નિતવ સમાપ્ત થયો. | ૨૫૦૮ /
॥ इति रोहगुप्तनामा षष्ठनिह्नवः समाप्तः ॥
પમ નિતવવાદ સમામ રે