________________
૧૫૧
ષષ્ઠમ નિદ્ધવ રોહગુપ્ત મુનિ (૪) પ્રસારણ. (૫) ગમન. હવે સામાન્ય ત્રણ પ્રકારનું છે. (૧) સત્તા, (૨) સામાન્ય, (૩) સામાન્ય વિશેષ. ત્યાં દ્રવ્ય ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં “આ સત્ છે” “આ સત્ છે” એવી બુદ્ધિનું જ કારણ છે તે સત્તા નામનું પ્રથમ સામાન્ય છે.
તેની અપેક્ષાએ જે નાની જાતિ તે બીજું સામાન્ય, જેમ કે દ્રવ્યત્વ તથા ગુણત્વ. આ અવાજોર જે સામાન્ય છે તે બીજુ તથા પૃથ્વીત્વ, જલત્વ આદિ અને કૃષ્ણત્વ નીલત્વ ઈત્યાદિ જે અવાન્તરથી પણ અવાન્તર સામાન્ય છે (પેટાભેદ રૂપ જે સામાન્ય છે.) તે સામાન્યવિશેષ એમ ત્રણ પ્રકારનું સામાન્ય છે.
અન્ય આચાર્યો આ રીતે પણ (બીજી રીતે પણ) ત્રણ પ્રકારનું સામાન્ય જણાવે છે. (૧) અવિકલ્પ નામનું મહાસામાન્ય તથા (૨) ત્રણ પદાર્થમાં રહેનારૂં અને સદ-સદ બુદ્ધિનું જે કારણભૂત એવું સામાન્ય તે સત્તા નામનું બીજાં સામાન્ય અને (૩) દ્રવ્યત્વ - ગુણત્વ આદિ જે સામાન્ય છે તે સામાન્યવિશેષ નામનું ત્રીજાં સામાન્ય જાણવું.
તથા વળી અન્ય આચાર્યો એમ પણ કહે છે કે મહાસામાન્ય અને સત્તા સામાન્યમાં વ્યત્યય છે એટલે કે ઉપર જે સમજાવવામાં આવ્યું છે તેનાથી જ વિપરીત અર્થ કરવો. દ્રવ્ય-ગુણ અને કર્મ એમ ત્રણ પદાર્થમાં રહેનાર અને સદ્ સત્ એવી બુદ્ધિનું જે કારણ તે સામાન્ય, અને અવિકલ્પભાવવાળી જે છે તે સત્તા, તથા દ્રવ્યત્વ આદિ જે પેટાજાતિ છે તે સામાન્ય વિશેષ આમ સામાન્યના ત્રણ ભેદો જાણવા. અન્યત્વ એટલે છેલ્લામાં છેલ્લી જે વિશેષતા તે વિશેષ એક જ પ્રકારનો છે એવી જ રીતે સમવાય નામનો પદાર્થ પણ એક જ છે.
આ પ્રમાણે આ દ્રવ્ય-ગુણ-સામાન્ય વિશેષ અને સમવાય એમ મૂલભૂત ૬ પદાર્થો છે. તેના અનુક્રમે ૯+૧૭+૫+૩+૧+૧=૩૬ ઉત્તરભેદો છે. નવ દ્રવ્યો, સત્તર ગુણો, પાંચ ક્રિયા, ત્રણ સામાન્ય, ૧ વિશેષ અને ૧ સમવાય સર્વ મેળવીએ તો ૩૬ વિકલ્પો થાય છે.
આ છત્રીસે ભેદોને પ્રકૃતિરૂપે (મૂલરૂપે) કારની સાથે, તથા નોકારની સાથે, તથા ઉભયનિષેધ એટલે નોકાર અને અકારની સાથે એમ બન્નેની સાથે જોડતાં ચાર પ્રકાર કરતાં ૩૬X૪ = ૧૪૪ એમ કુલ એકસોહ ચુમ્માલીસ પ્રશ્નો થાય છે.
તે આ પ્રમાણે :- (૧) તમે મને “કૃથિવી દિ" પૃથ્વી આપો ? આ પ્રકૃતિ (મૂલભેદ)ની સાથેનો પ્રશ્ન. (૨) તથા નગ્ન અવ્યયનો લોપ થઈને તેની જગ્યાએ જે
આવ્યો તે ગવારની સાથે સંયોગવાળો જે પ્રશ્ન તે બીજો ભેદ જેમ કે “મથિવી દિ' તથા નોની સાથે સંયોગ પામેલી પ્રકૃતિનો ત્રીજો પ્રશ્ન જેમ કે “નોવૃથિવી