________________
૧૫૨
ઐરાશિકમત
નિઠવવાદ
વેન્નિ' તથા નોાર અને અાર લક્ષણ વાળાં જે ઉભયપદો, તેની સાથે પ્રકૃતિ (મૂલશબ્દ) જોડીને જે પ્રશ્ન થાય તે ચોથો પ્રશ્ન. તેનાથી દેવને પુછીએ તો નોઅપૃથિવી વેહિ ।
આ પ્રમાણે જેમ પૃથ્વીસંબંધી ચાર પ્રશ્નો દેવને પૂછી શકાય તેમ જલાદિ ૩૬ તત્ત્વોમાં આ પ્રમાણે (૧) મૂલપ્રકૃતિરૂપે (૩) અકારના પ્રશ્ર્લેષ સાથે. (૩) નોવ્હારના સંબંધ સાથે અને (૪) નોવાર અાર સાથે એમ ચારે પ્રકારે દેવને પ્રશ્ન પુછી શકાય છે ? અને જે વસ્તુ હોય છે તે વસ્તુ દેવ મૂલ્ય દ્વારા આપે જ છે. માટે તેના દ્વારા આ પ્રશ્નનો નિકાલ થવો શક્ય છે. આ અભિપ્રાયથી જ મૂલગાથામાં કહ્યું છે કે આ છત્રીસે ભેદને ચા૨વડે ગુણશો તો ૧૪૪ પ્રશ્નો થશે.
પ્રશ્ન :- હે દેવ તમે મને પૃથિવી આપો આ તો પૃથિવી તત્વની દેવની પાસે યાચના થઈ કહેવાય? તેને પ્રશ્ન કેમ કહેવાય ?
ઉત્તર ઃ- તમારી વાત સાચી છે. પરંતુ હે દેવ ! તમે મને પૃથિવી આપો આમ યાચના કરવા દ્વારા જો હોય તો દેવ આપવાનો જ છે. અને જો ન હોય તો દેવ આપવાનો નથી જ. એમ યાચના દ્વારા પૃથિવી આદિ તત્ત્વોનું અસ્તિત્વ જ આ દેવને પૂછાય છે. તેથી નોજીવની જ્યારે તમે યાચના કરશો ત્યારે જો જીવ અજીવથી ભિન્ન એવું નોજીવ જેવું કોઇ તત્ત્વ હશે તો આ દેવ અવશ્ય આપશે જ. અને જો દેવ આવું કોઈ તત્ત્વ આપે તો નોજીવ જેવી ત્રીજી રાશિ છે જ આમ સાબિત થાય. અન્યથા એટલે કે જો દેવ નોજીવ જેવો કોઈ પદાર્થ ન જ આપે. તો તે નથી જ એમ નક્કી થાય.
તેથી દેવ પાસે નોજીવની યાચના કરવા દ્વારા પ્રશ્ન જ કરવાનો છે આમાં કોઈ બીજો દોષ નથી. આમ આચાર્યશ્રીએ રાજાને કહ્યું. રાજાએ પ્રતિવાદીએ અને અન્ય સભાજનોએ આ વાત ઘણી જ ઉચિત છે એમ સમજીને સ્વીકારી ।।૨૪૯૦થી૨૪૯૩॥
અવતરણ : આ સર્વેએ સાથે મળીને દેવની પાસે કુત્રિકાપણની દુકાને કેવી રીતે પ્રશ્નો કર્યા ? ઇત્યાદિ વિષય દિશામાત્રરૂપે જણાવવા સારૂં પૃથિવીલક્ષણવાળા પ્રથમભેદને આશ્રયી કહે છેઃपुढवित्ति देइ ले देसोवि समाणजाइलिङ्गोत्ति । पुढवित्ति सोऽपुढव देहि त्ति देइ तोयाई ॥ २४९५ ॥
"
ગાથાર્થ :- દેવની પાસે “તમે મને પૃથિવી આપો. આવી જ્યારે પાચના કરાઇ. ત્યારે દેવે તે પૃથિવીનો એક દેશભાગ (ટુકડો) આપ્યો. આ દેશભાગ પણ સમાનાતિ અને સમાનલિંગ હોવાથી પૃથિવી જ કહેવાય. હવે જ્યારે “અપૃથિવી રેફ્રિ" આમ અપૃથ્વીની યાચના કરાઇ. ત્યારે પાણી અગ્નિ વિગેરે તે દેવ આપે છે.