________________
ઐરાશિકમત
નિહ્નવવાદ
વિવેચના :- જ્યારે નોશબ્દ દેશનિષેધવાચી લઇએ ત્યારે “નોપૃથ્વી રેફ્રિ" આમ યાચના કરાયે છતે સમસ્ત પૃથ્વીપણે ઉપચાર કરાયેલા લેટુનો જ એકદેશ આપે છે. ત્યારે લેરુ પણ પૃથ્વીનો એક અંશ હોવાથી જાણે સમસ્ત પૃથ્વી જ છે એમ ઉપચાર કરીને તેનો જ એક ટુકડો તે લેહુદેશ એ જ નોપૃથ્વી છે આમ માનીને તે દેવ લેટુનો ખંડ જ આપે છે.
૧૫૪
પ્રશ્ન :- જ્યારે નોપૃથ્વીની યાચના કરવામાં આવી ત્યારે નોશબ્દ દેશનિષેધવાચી માનીને નોપૃથ્વી એટલે પૃથ્વીનો જ ટુકડો અર્થાત્ પૃથ્વીનો જ દેશભાગ ગ્રહણ કરાવો જોઇએ. પરંતુ લેટુનો જે દેશભાગ છે. તે તો પૃથ્વીના દેશનો પણ દેશભાગ થયો. માટે તે ન ગ્રહણ કરાવો જોઇએ. તે ભાગ પૃથ્વીના દેશનો પણ દેશ છે પણ પૃથ્વીનો દેશ નથી. તેથી જ્યારે નોપૃથ્વીની યાચના કરવામાં આવી ત્યારે તે દેવ લેટુનો દેશ કેમ આપે છે ?
ઉત્તર ઃ- લેટુ એ પણ પૃથ્વીદ્રવ્ય જ છે. આમ સમજીને તે લેટુનો જ એકદેશ તે પૃથ્વીનો જ દેશ છે એમ દેશોપચાર કરવામાં આવે છે. સારાંશ આવો છે કે લેરુ પણ ઉપર સમજાવેલી યુક્તિથી અનંત પરમાણુઓનો પિંડ હોવાથી “સંપૂર્ણ એવી એક પૃથિવી જ છે.” આવો ઉપચાર કરવામાં આવે છે. તેથી લેરુનો જે ભાગ તે પૃથ્વીનો જ ભાગ મનાય છે. બીજી રીતે વિચારીએ તો લેરુ જેમ પૃથિવી જ છે તેની જેમ સમાનજાતિ અને સમાનલિંગ હોવાથી લેટુનો દેશ પણ પૃથ્વી જ છે.
અહીં વચ્ચે શિષ્યના તરફથી શંકા ઉઠાવીને તેને દૂર કરતાં ગ્રંથકર્તાશ્રી કહે છે કેઃહે શિષ્ય ! તું લેટુનો દેશ જ આ છે. તે લેટુનો જ ખંડ માત્ર છે. તેથી સમાનજાતિ અને સમાનલિંગ હોવા છતાં પણ તેને લેટુનો ખંડ જ કહેવાય પણ પૃથ્વી નથી કહેવાતી. આવું તું સમજે છે તે બરાબર નથી. જો એમ જ હોય તો લેરુ તે પૃથ્વીનો દેશ જ છે પણ જો પૃથ્વી નથી જ આમ જ એકાન્તે માનવામાં આવે તો પહેલીવારના પ્રશ્નમાં નોપૃથ્વીની જ્યારે યાચના કરી ત્યારે લેણુને જ પૃથ્વી તરીકે માનીને લેરુના દેશને જ પૃથ્વીનો દેશ કલ્પ્યો હતો તે તારા અભિપ્રાય પ્રમાણે તો ન ઘટે કારણ કે તે લેટુ પણ પૃથ્વીનો દલ (અંશ) હોવાથી પૃથ્વી ન કહેવાય. જેમ લેટુનો દેશ પૃથ્વી નથી મનાતો તેમ :
સારાંશ કે લેરુ તે પૃથ્વીનો દેશ હોવા છતાં ઉપચારે તેને જ પૃથ્વી કહેવાય છે. આમ માનીને તો લેરુના દેશને પણ પૃથ્વીનો દેશ જ કહેવાય છે. અને દેવ તે જ આપે છે તે લેટુનો દેશ જ “નોપૃથ્વી” છે બીજું કંઇ નથી. ॥ ૨૪૯૬-૨૪૯૭ ॥