________________
૧૪૪
ઐરાશિકમત
નિહ્નવવાદ સમભિરૂઢ “નોજીવ” માને છતે પણ જેમ તું જીવ અને અજીવની બે રાશિથી અલગ- ભિન્ન એવી નોજીવ નામની ત્રીજી રાશિ માને છે તેમ આ નય સ્વીકારતો નથી. પરંતુ અભિન્નભાવે રહેલો એક પ્રદેશ કે એકદેશ તે આખો જીવ નથી. માટે નો જીવ કહેવાય. આમ માને છે સારાંશ કે જીવ અને અજીવ નામની બે જ રાશિ આ નય પણ માને છે કારણ કે નોજીવ એટલે જીવદ્રવ્યનો એક અંશ તે અંશીથી જુદો નથી. માટે નોજીવ એ આ બન્ને રાશિમાં જ અંતર્ભત થાય છે.
તથા આ સમભિરૂઢ નય વિના શેષ નૈગમાદિનયો પણ જીવ અને અજીવથી અલગ અધિક નો જીવ જેવી કોઈ વસ્તુ માનતા નથી. તેથી તારો આ કોઈ નવો જ કલ્પેલો માર્ગ છે ૨૪૭૬-૨૪૭૭-૨૪૭૮ ||
અવતરણ - ગુરુજી શિષ્યનો પણ સ્વીકારીને પણ શિષ્યને સમજાવતાં કહે છે કે - इच्छउ व समभिरूढो, देसं नोजीवमेगनइयं तु । मिच्छत्तं, सम्मत्तं, सव्वनयमयोवरोहेणं ॥ २४७९ ॥ तं जह सव्वनयमयं जिणमयमिच्छसि पवज्ज दो रासी । पयविप्पडिवत्तीए वि मिच्छत्तं किं नु रासीसु ॥ २४८० ॥
ગાથાર્થ - અથવા સમભિરૂઢનય ભલે ભિન્ન થયેલા એક ભાગને નોજીવ છે એમ માને તો પણ એકનય હોવાથી મિથ્યાત્વ જ છે સમ્યક્ત તો સર્વનયમય એવું વચન જે હોય છે તે જ કહેવાય છે. || ૨૪૭૯ //
તથા જો તું સર્વનયના મતવાળા જૈનમતને ઇચ્છતો હોય તો બે રાશિ સ્વીકાર કર. કારણ કે એકપદ માત્રની પણ વિપ્રતિપત્તિ કરવી (ભગવાનની વાણીથી એક પદનો પણ ઉલટો સ્વીકાર કરવો) તે મિથ્યાત્વ જ છે તો પછી આવા પ્રકારની સ્વતંત્રપણે ત્રણ રાશિની કલ્પના કરવી તેમાં તો મિથ્યાત્વ હોય જ છે. || ૨૪૮૦ ||
વિવેચન - અથવા તે રોહગુપ્તમુનિ ! તું જેમ માને છે તેમ સમભિરૂઢ નય પણ જીવથી ભિન્ન થયેલા એવા પણ દેશને તેનો દેશભાગ છે. એમ સમજીને “નોજીવ” છે. આમ ભલે માને, તો પણ તે એકનય માત્રનું માનવું છે. તેથી શાક્યના મતની જેમ (બૌદ્ધના મતની જેમ) એક નયાશ્રિત હોવાથી મિથ્યાત્વ છે. આ કારણથી તેને પ્રમાણ તરીકે માનવું જોઈએ નહીં.
કારણ કે સમ્પર્વ તો સર્વનયોને સ્વીકારવાથી જ હોય છે તે કારણથી જો તું સર્વનયોને માન્ય એવો જિનમતને સ્વીકારવાને ઇચ્છતો હોય તો જીવ અને અજીવ