________________
૧૪૮ ઐરાશિકમત
નિતવવાદ વ્યવહાતિ યત્ર છે તે સુત્રાપ: = પૃથ્વી ઉપર આ ત્રણે વસ્તુની લેવડ દેવડ થાય છે જે હાટમાં (જે દુકાનમાં) તે હાટ અર્થાત્ તે દુકાન કુત્રિકાપણ કહેવાય છે.
હે રાજન ! આ રાજયમાં આવી કુત્રિકા પણ નામની દુકાન છે કે જ્યાં કોઈક વાણીયાને મન્નાદિવડે આરાધન કરાયેલો એટલે કે સિદ્ધ થયેલો એવો વ્યંતરદેવ ખરીદ કરનારા લોકોને જે જોઇએ તે સર્વ પણ ઇષ્ટવસ્તુઓ ક્યાંયથી પણ લાવીને આપે છે. તેની મૂલ કિંમત રૂપ દ્રવ્ય તે વેપારી જ ગ્રહણ કરે છે આવી દેવાધિષ્ઠિત દુકાન છે. કે જેને કુત્રિકાપણ કહેવાય છે.
બીજા કેટલાક આચાર્યો એમ પણ કહે છે કે વાણીયા વિનાની કેવળ દેવોથી જ અધિષ્ઠિત એવી દુકાનો હતી કે જેને કુત્રિકાપણ કહેવાય છે અને તેમાં વેચાયેલા માલનું મૂલદ્રવ્ય (કિંમત) પણ વ્યંતરદેવો જ લે છે મનુષ્યો નહી. આમ મતાન્તર જાણવો.
આવા પ્રકારની આ કુત્રિકાપણ નામની દુકાનો અમુક ચોક્સ પ્રતિનિયત સ્થાનોમાં ઉજ્જયિણી અને ભરૂચ નગરી આદિ વિશિષ્ટ સ્થાનોમાં જ ક્યાંક કેટલીક હતી આવું આગમમાં કહેલું છે. એટલે આચાર્યશ્રી શ્રીગુપ્તમુનિજીએ બલશ્રી રાજાને આ પ્રમાણે કહ્યું //૪૮૬-૨૪૮૭
तं मग्गिज्जउ मुल्लेण, सव्ववत्थूणि कित्थ कालेण । રૂય રોડ, ત્તિ પવ, નહિ-પરૂવાડુિં-પરિસાર્દિર૪૮૮ / सिरिगुत्तेणं छलुगो छम्मास विकड्ढिउण वाए जिओ । आहरण कुत्तियावण चोयालसएण पुच्छाणं ॥ २४८९ ॥
ગાથાર્થ સૂરિજીએ કહ્યું કે મૂલ્ય આપીને સર્વવસ્તુઓ આ દુકાનમાં માગો. કાલવિલંબ કરવાની શું જરૂર છે ? “ભલે એમ હો” આ પ્રમાણે રાજાએ (બલશ્રીએ) તથા પ્રતિવાદીએ (રોહગુએ) અને સર્વપર્ષદાએ આ વાત સ્વીકારી. આ પ્રમાણે શ્રીગુણાચાર્ય મહારાજશ્રી વડે આ ષડલુક (રોહગુપ્ત:) મુનિ છ મહીના પસાર થયા ત્યારે વાદમાં જિતાયો. ત્યારબાદ કુત્રિકા પણ દુકાનમાં ૧૪૪ પ્રશ્નો પૂછવાથી (૧૪૪ વસ્તુઓ માંગવાથી) પણ જિતાયો. | ૨૪૮૮- ૨૪૮૯ /
વિવેચન :- શ્રીગુસૂરિજીએ કહ્યું કે અહીં દેવાધિષ્ઠિત દુકાનો છે. આ જગતમાં જે વસ્તુ હોય છે તે તમામ વસ્તુ નાણુ આપવાથી દેવ આપે જ છે. તેથી આપણે આ દુકાન ઉપર જઇને આ વસ્તુ માગીએ. જો તે કુત્રિકાપણ દુકાનનો અધિષ્ઠાયક દેવ નોજીવ માગે