________________
ષષ્ઠમ નિતવ રોહગુખ મુનિ
૧૨૩ બનાવવાની વિદ્યા તથા પોતાકી નામનું એક પ્રકારનું પક્ષી આ પ્રમાણે સાત પ્રકારનાં રૂપો બનાવવાની કલા પડે આ પરિવ્રાજક તે બાબતમાં ઘણો જ ઘણો હોંશિયાર છે. (કુશળ છે) || ૨૪૫૩ ||
વિવેચન :- વિર્દૂ ય એટલે વિછીની વિદુર્વણા કરવાની પ્રધાનતાવાળી જે વિદ્યા તે (૧) સતિ= સર્પ વિદુર્વણા કરવાની પ્રધાનતાવાળી વિદ્યા ૨, મૂષક (ઉંદર) વિદુર્વણા કરવાની પ્રધાનતાવાળી કળા, ૩. આ જ પ્રમાણે હરણ-હરણીનાં રૂપો બનાવીને ઉપઘાત કરવાની પ્રધાનતાવાળી કળા ૪, એ જ પ્રમાણે વરાહી = ભુંડડુક્કર બનાવવાની કળા, વા પોયરૂં ય = કાગડા બનાવવાની કળા ૬, અને પોતાકી નામનાં પક્ષીઓ બનાવવાની કલા ૭. (પોતાકી એ નામનાં પક્ષિઓ જાણવા).
આ સાત પ્રકારની વિદ્યાઓમાં આ પરિવ્રાજક ઘણો ઘણો કુશળ છે આ સાત પ્રકારની વિદ્યાઓની વિકર્વણા કરવા દ્વારા બીજાને હરાવવામાં) ઘણો જ કુશળ છે. ત્યારે રોહગુપ્ત મુનિવડે ગુરુજીને કહેવાયું કે હે ગુરુજી ! જો આમ છે તો હવે ક્યાંય પણ ભાગી જવાનું શું શક્ય છે ? મારા વડે તે પડહ નિવારાયો છે. જે થવાનું હશે તે ભલે થાય. પણ હવે મારાથી આ વાદમાંથી પાછું ફરાય તેમ તો નથી જ. ત્યારે આચાર્ય મહારાજે કહ્યું કે જો એમ જ છે. તો ભણતાંની સાથે જ, બોલતાંની સાથે જ સિદ્ધ થાય એવી તેની વિદ્યાનો નાશ કરનારી એવી તેની વિરોધિની આ સાત વિદ્યા (કે જે તેણે પ્રાપ્ત કરેલી વિદ્યાઓની) પ્રતિપક્ષી (વિરોધિની) વિદ્યાઓ છે. તે તું ગ્રહણ કર. (કે જેથી તારી હાર ન થાય) તે વિદ્યાઓ હું તને શિખવાડું. ||૨૪૫૩ll
અવતરણ - તે કઈ વિદ્યાઓ છે ? તે કહે છે ? मोरी नऊली बिडाली, वग्घी सिंही य उलुगि उवाई । एआओ विज्जाओ, गिण्ह परिव्वायगमहणीओ ॥ २४५४ ॥
ગાથાર્થ - મોર, નોળીયા, બીલાડી, વાઘ, સિંહ, ઉલૂક તથા ઉલાબક બનાવવાની પ્રધાનતાવાળી વિદ્યા, પરિવ્રાજકની વિદ્યાઓનું મથન કરનારી (વિનાશ કરનારી) તેના પ્રતિપક્ષભૂત એવી આ સાત વિદ્યાઓ તું ગ્રહણ કર કે જેથી તારી હાર ન થાય.).
| | ૨૪૫૪ll વિવેચન :- (૧) વિંછીના પ્રતિપક્ષભૂત મોર બનાવવાની વિદ્યા, (૨) સર્પના, પ્રતિપક્ષભૂત નોળીયા બનાવવાની વિદ્યા, (૩) ઉંદરની સામે બિલાડી બનાવવાની વિદ્યા, (૪) આ જ પ્રમાણે હરણની સામે વાઘ બનાવવાની વિદ્યા, (૫) વરાહ