________________
૧૦૮ ક્રિયાયવાદ
નિહ્નવવાદ છે ક્ષાયિકભાવ નથી. જો ક્રમસર થતાં ન હોય તો અન્યથા થતાં હોય તો સાંકર્ય આદિ દોષો આવે. એકકાલે એકજ્ઞાનમાં બીજા જ્ઞાન અંતર્ગત થઈ જાય. તથા મતિજ્ઞાનાદિના ઉપયોગકાળે પણ અવધિજ્ઞાન વિગેરે બીજાં જ્ઞાનોનો ઉપયોગ હોવાનું આવી જાય. તથા ઘટ-પટ આદિ વિવલિત કોઈ પણ એક પદાર્થની વિચારણા કરતા હોઇએ ત્યારે અનન્તા એવા બીજા અર્થના વિકલ્પો વિચારવાનો પ્રસંગ થઈ જાય. ન વેતતિ =પણ આવું બનતું નથી. તેથી આ પાંચ ઇન્દ્રિયોથી થનારા જ્ઞાનો ક્રમસર જ થાય છે. છતાં જાણકાર એમ માને છે કે “મને આ બધા જ્ઞાનો એકી સાથે થાય છે... કારણ કે તે બધાં જ્ઞાનો થવામાં વચ્ચે જતો કાળ સમય-આવલિકા વિગેરે ભેદો ઘણા સૂક્ષ્મ છે. એટલે તેનો ભેદ આપણા વડે જાણી શકાતો નથી.
ઉપરના દૃષ્ટાન્તની જેમ અહીયાં પણ મસ્તક અને પગ વિગેરે સ્પર્શનેન્દ્રિયના દેશભાગોની સાથે અથવા બીજી બીજી ઇન્દ્રિયોની સાથે ક્રમસર સંબંધવાળું એવું મન છે. તો પણ જ્ઞાન કરનાર આત્મા એકી સાથે જાણે મન બધી જ ઇન્દ્રિયોની સાથે જોડાયેલું છે તેમ બધા જ વિષયોને સાથે જાણે છે એમ માની લે છે પરંતુ તાત્ત્વિક રીતે આમ બનતું નથી. કારણ કે મનનો “આશુ સંચારી” આવો સ્વભાવ જ છે.
અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “એકી સાથે જ્ઞાનની અનુત્પત્તિ થવી તે જ મનનું લિંગ છે” ન્યાય ભાષ્ય સૂત્ર ૧-૧-૧૬માં આ પ્રમાણે કહ્યું છે.
જો સર્વ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન એકીસાથે જ ઉત્પન્ન થતું હોત તો અનુક્રમે જોડાવા વાળા મનનો તેમાં સંચાર થવો દુર્લભ બનત. તેથી એક જ સ્પર્શેન્દ્રિય માત્રના વ્યવહારકાલે પણ શીતવેદનાના ઉપયોગથી ઉષ્ણવેદનાના ઉપયોગ રૂપ બીજો ઉપયોગ ઉત્પન્ન કરવામાં તે મનનો સંચાર સુલભ કેમ બને ? કાલ સૂક્ષ્મ હોવાથી અને મન આશુસંચારી હોવાથી મનનો સંચાર કેમ જાણી શકાય ? અર્થાત્ આ જ્ઞાન ક્રમસર હોવા છતાં તેનો ક્રમ જાણી શકાતો નથી.
એટલે મન આશુ સંચારી હોવાથી આવો ભ્રમ થાય છે મનનો સંચાર વેગવાળો હોવાથી જણાતો નથી. તેથી જ શીતવેદના અને ઉષ્ણવેદના એમ બન્ને ક્રિયાના ઉપયોગના વિષમતાવાળા અધ્યવસાયો એકીસાથે થાય છે. આ હકીકત સાચી નથી. પરંતુ આ સંચારી હોવાથી આવા પ્રકારનો જીવને ભ્રમ થાય છે. ૨૪૩૪ છે.
અવતરણ - તિવાહક આ જ વાત ગુરુજી આપણને સમજાવે છેसव्वेदियोवलंभे जइ, संचारो मणस्स दुल्लक्खो । एगिदिओवओगंतरम्मि किह होउ सुलक्खो ? ॥ २४३५ ॥