________________
તૃતીય નિર્ભવ આષાઢાભૂતિ મુનિ
૬૧
અવતરણૢ :- સ્થવિરમુનિઓએ આ સાધુઓને કહ્યું કે જે તમને પ્રત્યક્ષપણે દેખાતા મુનિયોમાં પણ શંકા છે. તો અતિશય પરોક્ષ એવા જીવ - બન્ધ-મોક્ષ ઇત્યાદિ તત્ત્વોમાં તો આ શંકા સારી રીતે હશે જ. તેથી તો સમ્યક્ત્વનો પણ અભાવ જ થાય. આ વાત સમજાવતાં કહે છે કે
નીવાપયત્વેસુ ય, સુક્કુમ-વ્યવહિય-વિશિદવેનું ।
अच्चंतपरोक्खेसु य किह न जिणाईसु भे संका ॥ २३६३ ॥
ગાથાર્થ :- અતિશય સૂક્ષ્મ અને વ્યવધાનવાળા અને ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા જીવાદિ પદાર્થોમાં, તથા અત્યન્નપરોક્ષ એવા જિનેશ્વર આદિ મહાત્માઓમાં તો તમને શંકા કેમ થતી નથી ? || ૨૩૬૩ ||
વિવેચન :- જીવ-અજીવ આદિ પદાર્થો જે સૂક્ષ્મ છે, વ્યવહિત છે, પૃથ-પૃથક્ સ્વરૂપવાળા છે તેમાં તથા અત્યન્ત પરોક્ષ એવા જિનેશ્વર આદિ મહાત્માઓ થયા છે. તે બાબતમાં તમને શંકા કેમ થતી નથી ? જો આવા પરોક્ષ અને અતીન્દ્રિય પદાર્થોમાં જો તમને પરમ વિશ્વાસ છે તો પ્રત્યક્ષ દેખાતા અને સાધુપણુ પાલન કરતા સાધુઓમાં સાધુતાની શંકા કેમ થાય છે ? માટે તમારો માર્ગ બરાબર નથી. ॥ ૨૩૬૩ II
અવતરણ :- હવે કદાચ તમે સાધુઓ આવી વાત કરો કે જિનેશ્વર પ્રભુના વચનથી જીવાદિ તત્ત્વોમાં તો અમને કંઇ જ શંકા નથી. તો પછી આ વાત અહીં પણ સમાન જ છે. (સાધુપણાનું સ્વરૂપ ધારણ કરનારા આત્માને સાધુ માનવા જોઈએ) આ વાત સમજાવતાં કહે છે કે
तव्वयणाओ व मई, नणु तव्वयणे सुसाहुवित्तोति । આલય-વિહારસમિો, સમળોડ્યું યંગિન્નોત્તિ ॥ ૨૨૬૪ ॥
ગાથાર્થ :- કદાચ હવે આવો બચાવ તમે કરો કે તે જિનેશ્વર પરમાત્માના વચનથી જીવાદિ તત્ત્વોમાં અમને શંકા નથી તો તે સાધુના વચનથી આ સાધુ સાચા છે અને સારા સાધુ છે. આમ માની લો. શંકા કેમ કરો છો ? આલય-વિહાર આદિ સાધુસામાચારીવાળા હોવાથી આ શ્રમણ છે. અને વંદનીય છે આમ પણ જાણો. | ૨૩૬૪ ॥
વિવેચનઃ- સ્થવિર મુનિઓએ શંકાશીલ એવા આ મુનિઓને કહ્યું કે “તેમના વચનથી અર્થાત્ વીતરાગપ્રભુના વચનથી જીવ-અજીવ આદિ તત્ત્વોમાં તો અમને શંકા નથી.” જો આ પ્રમાણે તમે કહો જ છો તો તેમના વચનમાં એટલે વીતરાગ પરમાત્માના વચનમાં આમ પણ છે જ. કે શોભાસ્પદ સાધુપણાનો આચાર જેમનામાં દેખાય છે તે આ જીવ સારા સાધુપણાના આચારવાળો કહેવાય. માટે આ શ્રમણ જ છે એમ સમજીને નિશ્ચયપૂર્વક હૈયાના ભાવપૂર્વક વંદન કરવા યોગ્ય જ છે. તમારે બધા જ સાધુને સાધુ માનીને વંદના કરવી જોઈએ.