________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૭૯
વ્યામોહ (વિપરીત બોધ) જ માત્ર થયો છે. પરંતુ તારી વાત સાચી નથી. સત્યથી ઘણી વેગળી છે. ।।૨૩૯૫-૨૩૯૬
અવતરણઃ- પર એવા શિષ્ય તરફથી દલિલ રજુ કરાય છે. અને પછી તેનો પરિહાર કરાય છેअहव समाणुप्पत्ती, समाणसंताणओ मई होज्जा ।
को सव्वहा विणासे, संताणो किं व सामण्णं ॥ २३९७ ॥
ગાથાર્થ :- અથવા સમાન-સમાનની ઉત્પત્તિ થતી હોવાથી સમાનની પરંપરા (સંતાન) ચાલે છે. આવી કદાચ શિષ્યની બુદ્ધિ થાય. તો વસ્તુનો સર્વથા નાશ જ્યાં થતો હોય ત્યાં સંતાન એ શું છે. અને સામાન્ય એ શું છે ? અર્થાત્ કંઈ જ નથી ॥ ૨૩૯૭ ॥
વિશેષાર્થ :- આ ચર્ચામાં કદાચ શિષ્યની આવી બુદ્ધિ થાય એટલે કે શિષ્યને કદાચ મનમાં આવો પ્રશ્ન થાય કે “નારકાદિ પદાર્થોમાં નવા નવા સમયે સમાન-સમાન પદાર્થની ઉત્પત્તિ થાય છે તેથી પ્રતિસમયે જીની વસ્તુ સર્વથા નાશ પામે જ છે અને સર્વથા નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. પરંતુ સમાન-સમાન ઉત્પત્તિ હોવાથી જે સમાન એવા પદાર્થની પરંપરા રૂપ સંતાન છે તે સંતાનને આશ્રયી નારકાદિ જીવોમાં કથંચિદ્ ધ્રુવત્વ દેખાય છે જો કથંચિદ્ ધ્રુવત્વ ન માનીએ તો પણ પ્રથમ દ્વિતીયાદિ સમયમાં ઉત્પત્તિ વાળાપણું અને વિનાશીપણું સારી રીતે ઘટી શકે છે. આમ સર્વે પણ વસ્તુઓ સર્વથા ક્ષણિક જ છે. આમ ક્ષણિકવાદીનો પોતાના પક્ષ માટેનો બચાવ છે.”
=
હવે અહીં ગુરુજી ઉત્તર આપે છે કે “જો તમે વસ્તુનો સર્વથા વિનાશ જ થાય છે આમ જ સ્વીકારો છો તો કોનું સંતાન કહેવાય ? અને કોની સાથે સમાન ? આ બધુ સર્વથા યુક્તિ વિનાનું જ કથન છે. કારણ કે વસ્તુનો સંપૂર્ણપણે નિરન્વય રીતે નાશ માને છતે પૂર્વસમયની વસ્તુ સંપૂર્ણ પણે નાશ જ પામી ગઈ હવે કોઈ સ્થિર એવા નારકાદિ પદાર્થો રહ્યા જ નથી. કે જેને આશ્રયી આવું બોલાય કે “આ આની સાથે સમાન છે” “આ આની પરંપરા (સંતાન) છે. આમ કેમ બોલાય ? અર્થાત્ ન જ બોલાય, કારણ કે બન્ને હાજર હોય તો જ સરખામણી કરી શકાય અન્યથા નહીં. માટે સંતાન પણ ઘટશે નહીં. ॥ ૨૩૯૭ ॥
અવતરણ ઃ વિ=તથા વળી બીજી પણ યુક્તિ આ બાબતમાં છે. તે જણાવે છે :संताणिणो न भिण्णो, जइ संताणो न नाम संताणो ।
અન્ન મળો, ન વાળો, ળિો વા નર્ફે ન સંતાળો ॥ ૨૨૧૮ ॥