________________
૯૦
સમુચ્છેદવાદ
નિહ્નવવાદ નિહેતુક જ નાશ થાય છે. મુદ્ગર આદિ (ઘણ વિગેરે પદાર્થો) ઘડાના નાશનાં કારણો બેસતાં નથી. તે આ પ્રમાણે :
મુદ્રગર આદિ વડે જો ઘડાનો નાશ કરાતો હોય તો ત્યાં ઘડાનો નાશ કરીને શું નવો ઘટ કરાય છે ? કે શું કપાલ કરાય છે ? કે શું તુચ્છ રૂપ અભાવ માત્ર જ કરાય છે ? ઇત્યાદિ ત્રણ પક્ષો પાડીને આ કરાતો વિનાશ તે નિહેતુક જ છે આ વાત અમે પહેલાં અહી જ (ગાથા નંબર ૨૩૯૧માં) બતાવી છે.
આ રીતે આ કરાતો નાશ તમને ભલે દેખાય છે ચરમસમયમાં. પણ નિર્દેતુક હોવાથી આ પ્રગટ થતો નાશ પ્રથમ સમયથી જ છે. જો પ્રથમ સમયથી છે જ, તો તમને ચરમસમયમાં જ દેખાય છે. અન્યથા જો પ્રથમાદિ સમયોમાં આ નાશ ન હોત તો પર્યન્ત એટલે ચરમસમયમાં પણ તે નાશનો અભાવ થવાનો જ પ્રસંગ આવે. માટે પર્યન્ત નાશ દેખાય છે તેથી તે નાશ પ્રથમસમયથી જ હોવો જોઈએ. આ કારણે સર્વે પણ વસ્તુઓ ક્ષણિક માત્ર જ છે. આમ સિદ્ધ થાય છે.
મૂરિયાદ = આચાર્ય મહારાજશ્રી ઉત્તર આપે છે કે
“પર્વજો નાના ” અન્ને જ નાશ દેખાય છે. આવા પ્રકારનો તમારા કહેલા. હેતુમાં અમારા વડે આ પ્રમાણે કહેવાનું શક્ય છે કે શું કહેવાનું શક્ય છે? તો ગુરુજી કહે છે કે આ જ હેતુથી અક્ષણિકની સિદ્ધિ થાય છે” પ્રતિ ક્ષણે વિનાશ પામે તેવી વસ્તુ નથી. અર્થાત્ “વસ્તુ અક્ષણિક છે” આ પ્રતિજ્ઞા થઈ. કારણ કે “અત્તે જ નાશ દેખાય છે માટે, “આ હેતુ થયો. ઘટ-પટ આદિ પદાર્થોની જેમ આ ઉદાહરણ થયું.
આવો પ્રશ્ન પણ ન કરવો કે આ ઉપલબ્ધિ (એટલે કે ચરમ સમયે જ જે નાશ દેખાય છે તે ઉપલબ્ધિ બોધ) બ્રાન્ત જ છે એમ પણ કહેવાય નહીં. કારણ કે જો આ બોધ યુક્તિઓથી બાધિત હોય તો ભ્રાન્ત કહેવાય. પરંતુ યુક્તિઓથી બાધિત નથી. યુક્તિયુક્ત છે. માટે ભ્રાન્ત નથી. પણ યથાર્થ બોધ છે. કારણ કે સર્વે પણ જીવોને સર્વ સ્થાને આમ જ દેખાય છે. મનયા=સર્વ લોકોને વસ્તુનો નાશ અત્તે જ દેખાય છે આ યુક્તિ વડે વાદીની સર્વે પણ યુક્તિઓની બાધા (પીડા) આવતી હોવાથી શૂન્યવાદિની યુક્તિની જેમ આ ક્ષણિક વાદીની યુક્તિઓ પણ બાધિત જ છે. નિરર્થક જ છે. ર૪૧૧ના
અવતરણ - જો પ્રથમ સમયથી જ ક્ષણે ક્ષણે વસ્તુનો વિનાશ થતો હોય તો શું દોષ આવે ? તે સમજાવે છે :
इहराऽइउच्चिय, तओ दीसेज्जंतेव्व कीस व समाणो । सव्वविणासे नासो, दीसइ अंते न सोऽन्नत्थ ॥ २४१२ ॥