________________
સમુચ્છેદવાદ
નિઠવવાદ
અવતરણ :- હવે કદાચ એમ કહો કે ના, મોક્ષ તો અનાશ રૂપ છે અર્થાત્ નિત્ય છે? તો ત્યાં શું દોષ આવે ? તે કહે છે :
८८
अह निच्चो न खणियं, तो सव्वं अह मई ससंताणो । अहउ ति तओ दिक्खा, निस्संताणस्स मुक्खोति ॥ २४९ ॥
ગાથાર્થ :- હવે જો તમે એમ કહો કે મોક્ષ એ નિત્ય છે પણ ક્ષણિક નથી. તો “સર્વ વસ્તુ ક્ષણિક છે” આવો તમારો સિદ્ધાન્ત કેમ સિદ્ધ થાય? કારણ કે મોક્ષ તો નિત્ય માન્યો, હવે કદાચ તમે એમ કહો કે આ સંસાર જે ક્ષણ પરંપરા રૂપ છે તે સંતાન રૂપ છે. તે સંતાન હણાયું નથી. તેથી દીક્ષા લેવી આવશ્યક છે. જ્યારે આ જીવ નિઃસંતાન બને છે ત્યારે જ મોક્ષ થાય છે. ||૨૪૦૯ ॥
વિશેષાર્થ :- હવે જો મોક્ષ નિત્ય છે તો “સર્વ ક્ષળિમ્' સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ માત્ર છે આ તમારો સિધ્ધાન્ત ક્યાં રહ્યો ? કારણ કે મોક્ષને નિત્ય માનો તો “સર્વ ક્ષણિક છે” આ વાત મોક્ષની સાથે વ્યભિચારવાળી બનશે. એટલે “સર્વભાવો ક્ષણિક છે આ વાત સિદ્ધ થશે નહીં.
હવે કદાચ તમે એમ કહો કે પોતાના આત્માનું જ સંતાન છે. તે હજી હણાયું નથી. એટલે કે વિજ્ઞાન- વેદના- સંજ્ઞા અને સંસ્કાર એ સ્વરૂપ જે પોતાના આત્માનું સંતાન છે પોતાના આત્માની પરંપરા છે તે અહત છે. અર્થાત્ હણાઈ નથી. અને જેનું સંતાન હણાય તેનો જ મોક્ષ થાય. આ કારણથી પોતાના આત્માને નિઃસંતાન બનાવવા માટે દીક્ષા લેવી જરૂરી છે. આવો પ્રશ્ન કદાચ શિષ્ય કરે તો (તેનો ઉત્તર બીજી ગાથામાં ગુરુજી કહે છે.) ॥ ૨૪૦૯ ॥
અવતરણ :- અન્નોત્તરમાદ અહીં ગુરુજી ઉત્તર આપે છે કેछिण्णेणाच्छिण्णेण व, किं संताणेण सव्वनट्ठस्स । किं चाभावीभूयस्स सपरसंताणचिंताए । २४१० ॥
ગાથાર્થ :- સર્વથા નષ્ટ થયેલા પદાર્થને હવે સંતાન છેદાય તો પણ શું ? અને સંતાન ન છેદાય તો પણ શું પ્રયોજન છે ? જે સંતાન સર્વથા અભાવ સ્વરૂપ જ થયું છે તેને આ સ્વતંતાન છે આ પરસંતાન છે આવી ચિંતાથી તો સર્યું ॥ ૨૪૧૦ ||
વિશેષાર્થ :- જે વસ્તુ સર્વથા નાશ પામી જ ગઈ છે સર્વ પ્રકારે વિનાશને જ પામી છે તે વસ્તુને હવે સંતાન હણાય તો પણ શું ? અને કદાચ સંતાન ન હણાય તો પણ