________________
તૃતીય નિહ્નવ આષાઢાભૂતિ મુનિ
૭૧
ગાથાર્થ ઃ- આ પ્રમાણે સ્થવિર મુનિઓ વડે ઘણી ઘણી યુક્તિઓ આપી આપીને સમજાવવા છતાં પણ જ્યારે તે મુનિઓ પોતાના દુરાગ્રહ ત્યજતા નથી જ, ત્યારે સંધમાંથી બહાર કરાયા. સંઘમાંથી બહાર મુકાયા. આ હકિકત ત્યાંના રાજાવડે જણાઇ
|| ૨૩૮૩ ||
બલભદ્ર રાજાએ આ વાત બરાબર જાણી ત્યાંર પછી તે મુનિઓને બોલાવ્યા. અને પૂછ્યું કે “તમે કોણ છો ?' ત્યારે તે મુનિઓએ કહ્યું કે ‘“સાવય ! વયં તવસ્પિત્તિ'' હે શ્રાવક ! અમે બધા તપસ્વી (સાધુઓ) છીએ. આશંકાના સ્થાનભૂત (આશંકાના આધારભૂત) એવાં અમારામાં તમે શંકા ન કરો. અમે જૈનમુનિઓ જ છીએ. મુનિઓ વડે આમ કહેવાયે છતે રાજા કહે છે કે
को जाणइ के तुब्भे, किं चोरा चारिआ अभिमरति । संजयरूवच्छण्णा, अज्जमहं भे विवाएमि ॥ २३८५ ॥
नाण चरियाहिं नज्जइ, समणोऽसमणो व कीस जाणंतो । તું સાવય ! સંવેદ્ તિ, મણિ નિવો મળરૂ ॥ ૨૨૮૬ ॥
ગાથાર્થ :- કોણ જાણે છે કે તમે કોણ છો ! શું ચોર છો કે ? શું ચારક હશો (ગુન્હેગાર હશો) કે અભિમરક હશો (વ્યભિચારી) પુરુષ હશો ? સંયમવાળા રૂપથી ઢંકાયેલા તમે આવા પણ ચોરાદિ હોઈ શકો છો. તેથી હું તમને સર્વને (ચોરો છો એમ સમજીને) મારી નાખીશ. || ૨૩૮૫ ||
ત્યારે મુનિઓએ રાજાને કહ્યું કે “જ્ઞાન અને સુંદર આચરણ આચરવા વડે શ્રમણ કેવા હોય અને અશ્રમણ કેવા હોય તે તમને જણાય જ છે આ પ્રમાણે જાણતા એવા પણ કે શ્રાવક રાજા ! અમારામાં તમે સંદેહ કેમ કરો છો ! આમ મુનિઓએ કહે છતે રાજા તેઓને કહે છે કે :- || ૨૩૮૬ ||
तुब्भं चिय न परुप्परवीसंभो, साहवोत्ति किह मज्झं ।
नाण चरियाहिं जायइ चोराण वि किं न ता संति ॥ २३८७ ॥ उववत्तिओ भयाओ य पवण्णा सव्वमयसमग्गाहो । निवक्खामियाभिगंतुं गुरुमूलं ते पडिक्कंता ॥ २३८८ ॥
ગાથાર્થ :- તમને પોતાને જ “અમે બધા સાધુ જ છીએ” આવો પરસ્પર વિશ્વાસ નથી. તો આ વિશ્વાસ મને કેમ થાય ? જ્ઞાન અને ત્યાગની આચરણા તો ચોરલોકોને પણ શું