________________
તૃતીય નિહ્નવ આષાઢાભૂતિ મુનિ
अह पडिमं पि न वंदह, देवासंकाइ तो न घेत्तव्वा आहारोवहिसज्जा मा देवकया भवेज्ज हु ॥ २३६९ ॥
૬૫
ગાથાર્થ :- હવે કદાચ તમે આવો પ્રશ્ન કરો કે પ્રતિમાજીમાં કદાચ કોઈ અવિરતિ દેવ પ્રવેશ્યો હોય તો આમ શંકા કરીને જો પ્રતિમાજીને વંદના ન કરતા હો તો આહારઉપધિ અને શય્યા વિગેરેમાં કદાચ દેવે પ્રવેશ કર્યો હોય તો આમ દેવકૃતની શંકા થાય તેથી કોઇપણ વસ્તુ ગ્રહણ કરવાનો વ્યવહાર કેમ થાય ? માટે આ પણ તમારી વાત
બરાબર નથી || ૨૩૬૯ ||
વિવેચન :- પ્રતિમાજી પણ કદાચ કોઈ અવિરતિ ભાવવાળા દેવના વસવાટ વાળી હોય તો આમ સમજીને તમે જો પ્રતિમાજીને વંદન ન કરતા હો તો આહાર-વાપરવા લાયક ઉપધિ, અને સૂવા માટેની શય્યા વિગેરે પણ અવિરતિ ભાવવાળા દેવયુક્ત કદાચ હોય તો એમ સમજીને તે પણ તમારે ગ્રહણ કરવા ન જોઈએ- જો આ પ્રમાણે તમે બધે શંકા જ કરશો તો આહારાદિ પણ કદાચ દેવકૃત હોય, આવું પણ કેમ ન બને? તેથી તમારે તો આહાર, ઉપધિ અને શય્યા વિગેરે પણ ગ્રહણ કરવાં ન જોઇએ. ॥ ૨૩૬૯ ||
અવતરણ :- તથા વળી આ પ્રમાણે અતિશય શંકાશીલ સ્વભાવ રાખે છતે સર્વ પણ વ્યવહારના ઉચ્છેદનો પ્રસંગ આવશે :- કેવી રીતે પ્રસંગ આવશે તે વાત સમજાવે છે કેको जाणइ किं भत्तं, किमओ किं पाणयं जलं मज्जं । મિતાનું માળિી, િસો ચીવર હારો ? ॥ ૨૩૭૦ ॥ को जाणइ किं सुद्धं, किमसुद्धं किं सजीवं किं निज्जीवं । વિ ભવવું, મિમાં, પત્તનમાં તો સર્વાં ॥ ૨૩૭૬ ॥
--
ગાથાર્થ :- શું આ ભોજન છે કે કરમીયા છે ? જે આ પાનક છે તે શું જલ છે કે મદિરા છે ? જે આ પદાર્થ દેખાય છે તે શું અલાબું (ચણોઠી) છે કે માણેકરત્ન છે. તથા જે આ દેખાય છે તે શું સાપ છે ? વસ્ત્ર છે ? કે હાર છે ? જે આહાર-સ્થાનાદિ સામગ્રી મળે તે શું શુદ્ધ છે કે અશુદ્ધ છે ? આ વાત કોણ જાણે છે. કઈ વસ્તુ સજીવ છે અને કઈ વસ્તુ અજીવ છે ? કઈ વસ્તુ ભક્ષ્ય છે અને કઈ વસ્તુ અભક્ષ્ય છે ? આ રીતે છદ્મસ્થ જીવને સ્પષ્ટ ન જણાવાથી તમારી દૃષ્ટિએ તો બધું જ અભક્ષ્ય જ પ્રાપ્ત થશે. II૨૩૭૦-૨૩૭૧ ||
વિશેષાર્થ :- જો સાધુ મહાત્મામાં સાધુપણાના ગુણો જણાય છે. છતાં તમે શંકા કરો જ છો. તો તમને સર્વ સ્થાને શંકા જ થશે. જેમ કે તમે જે આહાર લાવો છો અને