________________
તૃતીય નિતવ આષાઢાભૂતિ મુનિ
અવતરણ - પ્રશ્નકાર-અવન્દનીયતા માનનાર પોતાના તરફથી બચાવ કરતાં ઉત્તર કહે છે કેअसंजयजइरूवे, पावाणुमई मई न पडिमाए । नणु देवाणुगयाए, पडिमाए वि हुज्ज सो दोसो ॥ २३६७ ॥
ગાથાર્થ :- હવે કદાચ શિષ્ય આવો પ્રશ્ન કરે કે અવિરતિભાવવાળો દેવ છે જેમાં એવા યતિના સ્વરૂપને વંદન કરવાથી પાપની અનુમતિ લાગે. માટે યતિ હોય તો પણ વંદન ન થાય. પરંતુ પ્રતિમામાં આ દોષ લાગતો નથી. તેનો ઉત્તર એવો છે જે દેવથી અધિષ્ઠિત એવી મૂર્તિમાં પણ અનુમોદનાનો આ દોષ તો છે જ. ||૨૩૬૭ ||
વિવેચન :- કદાચ ઉપરની ચર્ચા સાંભળીને કોઈ શિષ્ય આવો પ્રશ્ન કરે છે. પૂછનારની બુદ્ધિ કદાચ આવી થાય કે અવિરતિ ભાવવાળો દેવ જેમાં પ્રવેશેલો છે એવા મુનિને વંદનાદિ કરતાં તેમાં રહેલા અસંયમ સ્વરૂપ પાપની અનુમતિ લાગે છે. કારણ કે તેમાં અવિરતિ ભાવવાળો દેવ છે, માટે વંદન ન થાય ત્યારે પ્રતિમાજીને વંદન કરવામાં તો તે દોષ લાગતો નથી. કારણ કે તેમાં અવિરતિભાવવાળું કોઈ તત્ત્વ છે જ નહીં. માટે ત્યાં અવિરતિને વંદન કર્યાનો દોષ ન લાગે.
ઉપર પ્રમાણે કદાચ કોઈક પ્રશ્ન કરે તો દેવથી અધિષ્ઠિત સાધુમાં અવિરતિભાવવાળો દેવ જેમ હોઈ શકે છે. આમ તમારું કહેવું છે. તેવી રીતે અવિરતિભાવવાળા દેવથી અધિષ્ઠિત એવી મૂર્તિમાં પણ આ અસંયમની અનુમતિનો દોષ સમાન જ છે. દેવનો સંભવ તો બન્ને સ્થાનો સરખો જ છે તેથી અનુમોદનનો દોષ તો બન્ને સ્થાને લાગે જ છે. માટે આ બચાવ બરાબર નથી જ. || ૨૬૬૭ ||
અવતરણ - હવે પર એવો શિષ્ય આ પ્રમાણે કદાચ કહે, તે શું કહે ? તે આ ગાળામાં જણાવે છે.अह पडिमाए न दोसो, जिणबुद्धीए नमओ विशुद्धस्स । तो जइरूवं नमओ, जइबुद्धीए कहं दोसो ॥ २३६८ ॥
ગાથાર્થ :- જો પ્રતિમાજીમાં જિનેશ્વરપણાની બુદ્ધિ રાખીને નમસ્કાર કરનારા વિશુદ્ધ આત્માને કોઈ દોષ નથી.તો મુનિપણાના રૂપવાળા મુનિને મુનિપણાની બુદ્ધિથી નમસ્કાર કરવામાં દોષ કેમ લાગે ? | ૨૬૩૮ ||
વિશેષાર્થ :- પ્રતિમાજીને ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આ દોષ લાગતો નથી. શું કાર્ય કરતાં દોષ લાગતો નથી ? તો ઉત્તરમાં ગુરુજી કહે છે કે “આ તીર્થકર ભગવાન જ છે” આવા પ્રકારની બુદ્ધિ રાખીને નમસ્કાર કરે છે માટે દોષ લાગતો નથી. કેવા