________________
४८ એક પ્રદેશવાદ
નિતવવાદ ગાથાર્થ :- જે અન્તિમ આત્મપ્રદેશ છે તે પણ જીવ તરીકે નિષિદ્ધ જ છે. કારણ કે તે એક છે આ કારણે જ સૂત્રમાં જીવ તરીકે નિષિદ્ધ જ છે. જો તને સૂત્ર જ પ્રમાણ હોય તો સૂત્રમાં જ સર્વપ્રદેશોને જીવ કહ્યો છે પરંતુ કેવળ એકલા ચરમ પ્રદેશને જીવ કહેલ નથી. || ૨૩૪૩ ||
| વિવેચન :- વસુ નામના ગુરુજી તિષ્યગુપ્ત નામના પોતાના શિષ્યને સમજાવે છે કે આ આત્માનો અન્તિમ એવો જ એક પ્રદેશ છે. તે માત્ર ચરિમ આત્મપ્રદેશને જીવ તરીકે શાસ્ત્રમાં નિષિદ્ધ છે. કારણ કે તે એક જ પ્રદેશ છે માટે, જેમ પટનો એક તાર માત્ર તે પટ કહેવાતું નથી. તથા એક તાર માત્ર શરીરાચ્છાદન આદિ ક્રિયા કરી શકતું નથી. માટે પટ કહેવાય નહી. તેમ આત્માનો એક જ ચરિમ આત્મપ્રદેશ તે આત્મા કહેવાય નહીં. ત્યાં આગમમાં જ કહ્યું છે કે “ઈને મને ! નીવપણ નીવેત્તિ વત્તત્રં સિયા ? નો રૂદ્દે સમ” અર્થ :- હે ભગવાન! એક આત્મપ્રદેશ હોય તે જીવપ્રદેશ પણ કહેવાય અને જીવ પણ કહેવાય? ભગવાન ઉત્તર આપે છે કે “આ અર્થ બરાબર નથી” અર્થાત્ જીવપ્રદેશ કહેવાય પણ જીવ છે એમ ન કહેવાય.
ગુરુજી જ હજુ સમજાવે છે કે હે શિષ્ય ! જો તને શ્રુત એટલે કે આગમ જ પ્રમાણ હોય તો અન્ય એવા એક પ્રદેશમાત્રને આત્મા માનવો જોઇએ નહીં. કારણ કે તે આત્મપ્રદેશ સંખ્યામાં એક જ છે તે માટે, પ્રથમ આદિ બીજા આત્મપ્રદેશોની જેમ.
તથા વળી હે શિષ્ય ! જો તું શ્રતને (આગમને) પ્રમાણભૂત માનતો હોય તો સર્વે પણ આત્મપ્રદેશો સાથે લઇએ ત્યારે જ આગમમાં તેને જીવ તરીકે કહેલો છે. પરંતુ કેવળ એકલા ચરિમ આત્મપ્રદેશ માત્રને જીવ તરીકે માનેલો નથી. તે જ આગમપાઠમાં ત્યાં જ કહેલું કે “ગપ્પા જ સિને પવિપુત્રે નો///સપાસ નવે ત્તિ વત્તત્રં શિયા" અર્થ :- જે કારણથી 7 - સંપૂર્ણ પૂરેપૂરા લોકાકાશના પ્રદેશો તુલ્ય પ્રદેશવાળો જીવ છે. આમ સમજવું જોઈએ.”
આ કારણથી શ્રુતને (શાસ્ત્રને અર્થાત્ આગમને) પ્રમાણ તરીકે સ્વીકારતા એવા તારે અન્તિમ એવા માત્ર એક આત્મપ્રદેશને આત્મા તરીકે માનવો જોઈએ નહીં ર૩૪૩
અવતરણ - આ જ વાતને દષ્ટાન્ન આપીને સિદ્ધ કરતાં કહે છેतंतू पटोवयारी, न समत्तपडो य समुदिया ते उ । सव्वे समत्तपडओ, सव्वपएसा तहा जीवो ॥ २३४४ ॥