________________
૫૬
અવ્યક્તવાદ
નિતવવાદ
કે તૃતીય નિહવ
હવે ત્રીજા નિહ્નવી વાર્તા કહે છેचउदस दो वाससया तइया सिद्धि गयस्स वीरस्स । तो अव्वत्तयदिट्ठी, सेवलियाए समुप्पण्णा ॥ २३५६ ॥
ગાથાર્થ :- શ્રી મહાવીર પરમાત્માને મોક્ષે ગયા ને બસોહ ચૌદ વર્ષ (૨૧૪ વર્ષ) પસાર થયાં હતાં ત્યારે શ્વેતવિકા નામની નગરીમાં અવ્યક્ત દષ્ટિ ઉત્પન્ન થઈ. (અર્થાત્ તે દૃષ્ટિવાલા નિહ્નવ થયા) ર૩૫૬.
વિવેચન :- પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ પામ્યાને બસોહ ચૌદ વર્ષ (૨૧૪ વર્ષ) પસાર થયાં હતાં ત્યારે અવ્યક્ત છે નામ જેનું એવા નિકૂવોની દૃષ્ટિ જેતવિકા નામની નગરીમાં ઉત્પન્ન થઈ. આવી દૃષ્ટિવાળા નિતવ ત્યાં થયા. આ ત્રીજા નિદ્ભવ થયા. || ૨૩૫૬ |
અવતરણ - = આ દષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ ? તે સમજાવે છે सेयविपोलासाढे जोगे, तद्दिवसहिययसूले य । सोहम्मनलिणिगुम्मे, रायगिहे मुरियबलभद्दे ॥ २३५७ ॥
ગાથાર્થ :- ચૈતવિકા નામની નગરીમાં પૌલાષાઢ નામના ચૈત્યમાં આર્યાપાઢ નામના આચાર્યને તે જ દિવસે સૂલની વેદના થવાથી કાલધર્મ પામીને સૌધર્મ નામના દેવલોકમાં નલિનિગુલ્મ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તેમના શિષ્યોને રાજગૃહી નામના નગરમાં મૌર્યવંશમાં જન્મેલા બલભદ્ર નામના રાજાએ પ્રતિબોધિત કર્યા. (સમજાવ્યા). //ર૩૫૭થી
વિવેચન :- શ્રેવિકા નામની નગરીમાં પૌલાષાઢ નામના ચૈત્યમાં આર્યાપાઢ નામના આચાર્ય રહેલા હતા, તેઓને ઘણા જ શિષ્યો હતા. તેમાંથી બહુને અગાઢ જોગમાં પ્રવેશ કરાવ્યો હતો. બીજા કોઈ વાચના આવે તેવા વાચનાચાર્ય ન હોવાથી તેઓ પોતે જ આર્યાષાઢસૂરિજીએ જ વાચનાચાર્યપણું (પણ) સ્વીકાર્યું હતું, તેવા પ્રકારના કર્મના વિપાકોદયના કારણે તે જ દિવસે રાત્રિમાં હૃદયની અંદર ફૂલવેદનાના કારણે