________________
39
પ્રથમ નિતવ જમાલિ
વિવેચન :- ટંકશ્રાવક ઉપાય અપનાવીને વિનયપૂર્વક હૃદયના બહુમાનપૂર્વક પ્રિયદર્શનાજીને સમજાવ્યા અને તેઓની સાથે બીજા કેટલાક સાધુસંતો પણ આ વાતને દીર્ધદષ્ટિથી વિચારવા પૂર્વક સમજયા. ત્યાર પછી શું થયું. તે કહે છે.
પ્રિયદર્શનાજી અને શેષ સાધુસંતોએ ઢંક નામના શ્રાવકને કહ્યું કે હે આર્ય? તમારા દ્વારા કરાયેલા આ સંબોધનને (સમજાવટને) અમે ઇચ્છીએ છીએ સ્વીકારીએ છીએ બહુ જ સારું થયું કે તમારો અમને યોગ થયો. અને તમારી સમજાવટ અમને મળી. અમે બધા હવે ભગવાનના માર્ગે આવ્યા.
તે પ્રિયદર્શનાજી તથા અન્ય સાધુ સંતો ઢક શ્રાવકને આમ કહીને તેમણે આપેલી સમજની અનુમોદના કરીને જમાલિ ન સમજતા હોવાથી તે જમાલિને છોડીને ત્યાંથી વિહાર કરીને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે આવ્યા. અને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને વંદના કરીને બનેલી હકીકત કહીને ક્ષમાયાચના કરીને પરમાત્માનો માર્ગ અહોભાવ અને બહુમાનના ભાવપૂર્વક સ્વીકાર્યો || ૨૩૩૨ /
॥ इति बहुरताख्यः प्रथमो जमालिनिह्नवः समाप्तः ॥ આ પ્રમાણે બહુરત નામનો આ પ્રથમ જમાલિ નામનો નિહ્નવ સમાપ્ત થયો
જે પ્રથમ નિકવવાદ સમાન છે
2)
- {TAH (
FAR
E