________________
બહુરતમત
નિતવવાદ તે મુનિઓએ સંથારો પાથરવાની શરૂઆત કરી. આ બાજુ અતિશય દાહજ્વરથી પરાભવ પામેલા તે જમાલિમુનિ વડે પુછાયું કે “સંથારો પાથર્યો કે નહીં ? ત્યારે સાધુસંતો વડે સંથારાનો ઘણો ભાગ પથરાઈ ગયેલો હોવાથી થોડો જ ભાગ પાથરવાનો બાકી હોવા છતાં તે મુનિઓ વડે કહેવાયું કે “સંથારો પથરાઈ ગયો છે.” “આપ શયન કરવા માટે પધારો.”
આવું વાક્ય સાંભળીને વેદનાની અતિશય પીડાથી આકુળવ્યાકુલ ચિત્તવાળા તે જમાલિમુનિ શયન કરવા માટે જાય છે. ત્યાં અધું જ સંથારો પથરાયો છે અર્થો પાથરવાનો બાકી છે. આ જોઈને ક્રોધાયમાન થયેલા તે જમાલિને “કરાતું હોય તે કર્યું કહેવાય” આવા પ્રકારનું સિધ્ધાન્તનું વચન સ્મૃતિગોચર હોવા છતાં પણ મિથ્યાત્વમોહના ઉદયથી હવે કહેવાતી યુક્તિઓ દ્વારા વિપરીત વિચારણા થવા લાગી.
તે કાલે ત્યાં વિદ્યમાન એવા બીજા સ્થવિરમુનિઓએ હવે કહેવાતી ઘણી યુક્તિઓ વડે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ આ જમાલિમુનિ કેમે કરી સમજતા નથી. ત્યારે તે મુનિઓ તે જમાલિને છોડીને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે ગયા. બીજા કેટલાક મુનિઓ તેમની પાસે જ રહ્યા.તથા સુદર્શના નામનાં તેમનાં પત્ની તે સમયે ઢંક નામના કુંભારના ઘરે હતાં. જમાલિ ઉપરના અનુરાગના (પ્રેમના) કારણે સુદર્શનાએ પણ તે જમાલિનો મત સ્વીકાર્યો. તે સુદર્શના પણ શ્રાવક એવા ઢંક નામના કુંભકારને જમાલિનો મત સ્વીકાર કરવા માટે સમજાવવા લાગી.
ટંક નામનો આ કુંભકાર શ્રાવક હતો પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના સિદ્ધાન્તનો પરમ રાગી હતો. તેથી તેણે મનમાં નિર્ણય કર્યો કે આ સુદર્શન પણ પોતાના પતિના અનુરાગથી આ માર્ગને સ્વીકારનારી બની છે. ખરેખર આ સુદર્શના મિથ્યાત્વના ઉદયને પામી છે બીજાં હું કંઈ જાણતો નથી. અવસર આવશે ત્યારે વાત. પરંતુ પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની જ વાત સાચી છે.
એક વખત ભટ્ટાના અગ્નિની અંદર માટીનાં વાસણોને ઉપર-નીચે કરીને પકવતા એવા તે કુંભારવડે તે જ પ્રદેશમાં સ્વાધ્યાય કરતાં એવાં સુદર્શના સાધ્વીજીની તરફ એક અંગારો નંખાયો. તેના વડે સુદર્શના સાધ્વીજીના વસ્ત્રનો એક ભાગ દાજયો. તેથી તે સુદર્શના સાધ્વીજી વડે કહેવાયું કે હે શ્રાવક ! તારા વડે મારૂ વસ્ત્ર કેમ બળાયું ? તેથી તે ઢંકકુંભકારવડે કહેવાયું કે “બળાતું હોય તે બળ્યું ન કહેવાય “રામાનં માથ” આવા પ્રકારનો તમારો સિદ્ધાન્ત છે. તેથી કોના વડે તમારૂ વસ્ત્ર ક્યાં બળાયું છે ?