________________
બહુરતમત
નિહ્નવવાદ
(૨) હવે કરાતું હોય તેને કરાયુ માનો “વિમાળે તમ્' આમ જો માનો તો જે કાર્ય કરાયેલું છે. તેને જ કરવાની ક્રિયા થાય છે આવો જ અર્થ થાય. આમ માનવાથી પ્રત્યક્ષ વિરોધ આવે. કારણ કે કાર્યના ઉત્પત્તિકાલથી પૂર્વકાલમાં અવિદ્યમાન એવું જ કાર્ય ઉત્પન્ન થતું દેખાય છે તેથી જે કાર્ય કરાય છે. તે કાર્ય કરાયું નથી આમ જ માનવું જોઇએ. અર્થાત્ જે વિમાળ છે તે સત જ હોય છે આમ માનવું જોઇએ તેને બદલે ધૃત માનો છો. આ બીજો દોષ.
૧૬
(૩) જે સમયે કાર્ય કરાય છે આરંભાય છે તે સમયે જ જો કાર્ય થઈ જતું હોય તો એટલે વિમાળ ને ઘૃત માનશો તો અર્થાત્ આરંભ સમયે જ કાર્યની ઉત્પત્તિ થઈ જાય છે આવો જ અર્થ થશે. પરંતુ આમ માનવું તે અયુક્ત છે. કારણ કે ઘટ-પટ આદિ કાર્યોને ઉત્પન્ન થતાં ઘણો લાંબો ક્રિયાકાળ થતો દેખાય છે જો યિમાન તે નૃત જ હોય તો જ્યારે કાર્ય શરૂ કરાય તે સમયે તે કાર્ય પૂર્ણપણે પ્રગટ થયું કહેવાય. પણ આવું જગતમાં દેખાતું નથી. ઘટ-પટ આદિ કોઈ પણ આ કાર્ય કરવામાં ઘણો લાંબો કાળ લાગે છે માટે વિમાનં તમેવ = કરાતું હોય તેને કાર્ય કર્યું માનવું તે ઉચિત નથી જ. ॥ ૨૩૧૧ ||
અવતરણ :- જમાલ કહે છે કે કદાચ તમે આવો બચાવ કરો કે ઘટ-પટ આદિ બનાવવાનો ક્રિયાકાલ ભલે દીર્ઘ હોય પરંતુ ઘટ-પટાદિ કાર્ય તો આરંભ ક્રિયાસમયે જ અથવા શિવક આદિ બનવાના કાલે જ દેખાય છે. આમ કહો તો તે તમારો બચાવ ખોટો છે. કેમ ખોટો છો ? તે આ ગાથામાં હવે જણાવે છે.
नारंभे च्चिय दीसइ न सिवादद्धाए दीसइ तदंते ।
तो न हि किरियाकाले, जुत्तं कज्जं तदंतम्मि ॥ २३१२ ॥
ગાથાર્થ :- આરંભમાં કાર્ય દેખાતું નથી. શિવક આદિના કાળમાં પણ કાર્ય દેખાતું નથી. પરંતુ ક્રિયા કાળના અન્તિમ સમયમાં જ કાર્ય દેખાય છે. તેથી ક્રિયાકાલમાં કાર્ય થઈ ગયું આમ માનવું યોગ્ય નથી. પરંતુ ક્રિયાકાલના અંતે કાર્ય થયું માનવું ઉચિત છે. || ૨૩૧૨ ॥
વિવેચન ઃ- કોઈ પણ કુંભકાર ઘટાદિ કાર્ય બનાવવાનો જ્યારે આરંભ કરે છે ત્યારે (૧) માટી લાવવાના કાળમાં (૨) માટી પળાવાના કાળમાં (૩) માટી મસળવાના કાળમાં (૪) તેના પિંડ બનાવવાના કાળમાં કે (૫) સ્થાન (૬) કોશ. (૭) કુશૂલાદિ બનાવવાના કાળમાં ક્યાંય ઘટકાર્ય દેખાતું નથી.
પ્રશ્ન :- જો આ સઘળા ક્રિયાકાળમાં ઘટકાર્ય દેખાતું નથી તો ઘટાત્મક કાર્ય ક્યાં દેખાય છે ?