Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 56
________________ (૫) જે ચીજો માટે પાપ કરો છો, તે ચીજો તમારી નથી : પુણ્યોદય સુધી જ તમારી રહેવાની, પણ પછી નહિ જ : માટે વસ્તુતઃ તે ચીજો પારકી જ છે. (૬) અને એ ચીજો પારકી છે, માટે પુણ્યોદયે કદાચ તમારાથી નહિ ખસે, તો છેવટે તમારે પણ એને મૂકવી જ પડશે. આ છએ કેવી મજેની ચાવીઓ છે ? તાળાં ઉઘાડતાં આવડવું જોઇએ. ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે, એ પહેલી વાત કહી : આમાં કાંઇ પણ શંકા જેવું છે ? નહિ જ, અને જેઓ ધર્મને દુર્લભ માને, તેઓ ધર્મ કરવાના વાયદા કરે ? “કાળે કરીશું ?' –એમ કહે ? નહિ જ, કારણ કે-જ્ઞાનીપુરૂષો કહે છે. મુશીબતે મળતા એવા માનવજીવનને પામીને પણ ઘણાએ ધર્મહીનપણે ગયા અને જઇ રહ્યા છે. માનવપણું મળવાથી ધર્મ મળે જ એમ નથી. અનાર્યદેશ, અનાર્યજાતિ, અનાર્યકળ વિગેરેમાં મળેલ માનવજીવન પ્રાય: નકામું જ થાય છે. ઇંદ્રિયો પૂરી ન મળે, ધર્મને યોગ્ય આર્યદેશાદિ સામગ્રી ન મળે, તો. ધમ ક્યાંથી મળે ? અરે, બધું મળે પણ શ્રી જિનેશ્વરદેવના શાસનની બોધિ તો અત્યંત દુર્લભ કહી છે અને જેને એ બોધિની પ્રાપ્તિ થાય, એ કદી ધર્મનો વાયદો કરે ? દુનિયાના વ્યવહારમાં જેને તમે જરૂરી માનો છો, ત્યાં વાયદા કરો છો ? તમારું લેણું વાયદાસર ન આવે તો ઉઘરાણી કરો, પણ વાયદા પહેલાં કોઇ આપવા આવે તો લ્યો કે નહિ ? લ્યો જ, કેમકે-એ ચીજને તમે જરૂરી માની છે. હૃદયમાં ખાત્રીથી માન્યું છે કે એના વગર જીવાય નહિ. એવી જ રીતે “શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે, ભાગ્યે જ કોઇને મળે, અને તે પણ કવચિજ મળે.” -એમ સમજાઇ જાય, તો એ મળ્યા છતાં પણ વાયદા થાય ? દાન, શીલ, તપમાં વાયદા થાય છે તે થાય ? પ્રાયઃ નહિ. ભાવમાં તો વાયદા છે, કારણ કે-સીધી ભાવના તો પ્રાયઃ ટકતી જ નથી. ધર્મક્રિયા કરતી વખતે પણ ભાવના ન ટકે, તો બાકીના ટાઇમમાં તો ભાવના ટકે જ ક્યાંથી ? દાન દેતી વખતે લક્ષ્મીની મૂચ્છ ન છૂટે, તો દાન વગરના ટાઇમમાં તો ક્યાંથી જ છૂટે ? બહારની સામગ્રીને જ્યાં જરૂરીયાતવાળી માની, ત્યાં વાયદો નહિ અને જેના વિના જીવન નષ્ટપ્રભ થઇ રહ્યું છે, ત્યાં વાયદા ! ખરેખર, આ ઘણી જ ભયંકર દશા ગણાય ! માટે ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે, એ વાતને હૈયામાં નક્કી કરો. એ વાત નક્કી થાય, તે પછી ડાહ્યો આદમી ધર્મ સાધવામાં પ્રાયઃ વાયદો ન કરે : કેમકે- “આયુષ્ય ચંચળ છે.” -એમ તે સારી રીતિએ સમજે છે. શ્રી તીર્થંકરદેવ વિગેરે મહાપુરૂષો, કે જેઓનું સંવનન પહેલું છે-તે વિનાના આત્માઓનું આયુષ્ય સોપક્રમ છે. સંગમદેવે ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર સહસ્ત્ર ભારના પ્રમાણવાળુ ચક્ર ક્યું, તેનાથી ભગવાન જાનુ સુધી જમીનમાં પેસી ગયા એ વાત ખરી, પણ એમનું એક પણ હાડકું તુટે ? નહિ જ અને તમારા ઉપર તો એક પત્થર પડે તો પણ શું થાય ? એ મહાપુરૂષોને નિમિત્તો ટક્કર મારે, પણ નિમિત્ત એમના શરીરનો નાશ ન કરી શકે. એવા મહાપુરૂષો હજી વાયદો કરે તો સંતવ્ય ગણાય, છતાં એ પણ વાયદો ન્હોતા કરતા, ત્યારે તમે કોના બળથી વાયદો કરો છો ? આ બધું શ્રી સુધર્માસ્વામિજી ક્રમાવે છે હોં !કોઇ કહે કે- “કુટુંબ ખાતર, વડીલો ખાતર, માતાપિતા ખાતર બધું કરીયે છીએ' –એને સૂત્રકાર સાફ સાફ જણાવે છે કે- “એ તમારી મરજીની વાત, પણ પાપ કર્યા પછી તમારો એ બચાવ ચાલશે નહિ. એ બચાવથી તમને કર્મસત્તા છોડશે નહિ અને દુર્ગતિમાં જતાં કોઇ પણ બચાવવા આવશે નહિ, તેમજ અશુભોદય વખતે-પાપના વિપાક વખતે કે દુર્ગતિમાં જતા એ બધા સહાય નહિ જ કરી શકે, નહિ જ બચાવી શકે. વળી જે વસ્તુ મેળવવા આટલું આટલું મથી રહ્યા છો તે તમારી નથી, ક્યારે મૂકવી પડશે તે નક્કી કહેવાય તેમ નથી અને માનો કે-પુણ્યોદય જાગતો હોય અને એ વસ્તુઓ ટકે, પણ એ પારકી જ છે, માટે છેવટે તમારે એને મૂકવી જ પડશે.' Page 56 of 191

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191