________________
તપના લાભ -
(૧) તપથી મન ખૂબજ કાબુમાં આવે છે.
(૨) તપ ચીકણાં કર્મને પણ તપાવી નાશ પમાડી દે છે.
(૩) ઇન્દ્રિયો શાંત થાય છે.
(૪) આત્મા ભવિષ્ય માટે આશ્વાસન અનુભવે છે.
(૫) તપથી અનેક વિદ્યાશક્તિ અને લબ્ધિઓ પ્રગટ થાય છે.
(૬) અનાદિની આહારાદિ સંજ્ઞાઓ તપથી તૂટે છે.
(૭) તપથી કુસંસ્કારો વિચ્છેદ પામે છે.
(૮) તપથી મહાવિઘ્નો પણ શમી જાય છે, તેથી તપ એ શ્રેષ્ઠ મંગળ છે. તપ દ્વારા કાયામાંથી ક્સ ખેંચવો :
શ્રી તીર્થંકર દેવ જેવા પણ જે તેજ ભવે પોતે મુક્તિ જવાનું જાણે છે, તેઓશ્રી પણ ચારિત્ર લઇને ઘોર તપ આદરે છે. એમની પાછળ મહામુનિઓ મેઘકુમાર, શાલિભદ્ર, ધનાજી, કાકંદીનો ધન્નો, વગેરે એ મુહાસુકોમળ છતાં ગજબનો તપ આદરી કાયાને સુક્કી ભુખી અને લુખ્ખી હાડપિંજર જેવી કરી દીધી ! તે આ સમજથી કે આ માનવની મહાપુણ્યે ખરીદેલી કાયા તપ રૂપી કોલુમાં પીલવાથી જ પાપક્ષય અને પુણ્યના મધુર રસ આપે; માટે લોહીના છેલ્લા બુંદ અને માંસના છેલ્લા કણ સુધી કાયામાંથી તપ દ્વારા કસ ખેંચવો જોઇએ. તપ દ્વારા મહાન પુણ્યાનુબંધી પુણ્ય અને કર્મક્ષયનો કસ ખેંચવામાં કાયાનું જેટલું માંસ લોહી બાકી રહી જશે તે તો અગ્નિમાં જશે. માંસ લોહી એવું શા માટે વેડફી નાંખવું ? ફરી ફરીને આવી કાયા ક્યાં મળશે ? એ તો હજીય મળે, પરંતુ તપ દ્વારા એને ઘસવાની કરામત શીખવનારું શ્રી જિનેશ્વર દેવનું શાસન ફરી ફરીને ક્યાં મળશે ?
લોચ વગેરે કાયક્લેશ છે. વગેરેમાં બાવીસ પરિષહ અને મારણાન્વિક ઉપસર્ગો આવે. એ તથા
મન-વચન-કાયાનું સંગોપન, આ બે દ્વારા તો આત્મા અકલ્પ્ય લાભ આપે છે. એમાં સાથે વિનયાદિ, અને શાસ્ત્રોનું ચોવીસે કલાક પારાયણ-એ તો જીવને જગત ભૂલાવી દે છે. ત્યારે ધ્યાન એ તા અપૂર્વ સાધના છે. (૧) અહીં જન્મીને શ્રાવક માતાની કુક્ષિ રત્નકુક્ષિ કરવી હોય, (૨) શ્રી મહાવીર પ્રભુનું શાસન પામ્યા તે સાર્થક કરવું હોય, અને (૩) ભાવિ અનંતકાળને ઉજ્જવળ કરવો હોય......તો બીજી આળપંપાળ શું કરવી હતી ? એક માત્ર મહાકલ્યાણ તપની પુંઠે લાગી જવું જોઇએ.
૬ - સંયમ
છઠ્ઠો યતિધર્મ-સંયમ એમાં જીવવિરાધનાથી અને અસત્યાદિ આશ્રવોથી બચવાનો તીવ્ર ઉપયોગ આવે. શાસ્ત્રમાં પ્રેક્ષાસંયમ, ઉપેક્ષાસંયમ વગેરે કહ્યાં છે. પ્રેક્ષાસંયમમાં મુનિને કોઇ પણ વસ્તુ ઉપયોગમાં લેતાં પહેલાં ખૂબ સારી રીતે સૂર્યના પ્રકાશમાં જોવાની તપાસવાની હોય છે; ને પ્રમાર્જના સંયમમાં મૃદુ ઉનના રજોહરણથી પ્રમાર્જવાની હોય છે. ‘ કોઇ જીવ બિચારો અહીં ભૂલો તો નથી પડ્યો ને ?' એ પડિલેહણમાં, ઇર્યાસમિતિમાં, વસ્તુના આદાન નિક્ષેપ કે પારિષ્ઠાપનિકામાં જોવું પડે. આ જોવાનું પ્રમાદદોષ પર સંયમ
કેળવવાથી થાય માટે આને સંયમ કહેવાય.
સંયમ માટે વિચારવુ કે, “જીવે અનેક ભવોમાં બીજી ત્રીજી ઘણીઘણી કાળજીઓ કરી છે, પણ એનું ફ્ળ શું ? સંસાર ભ્રમણ ! ત્યારે આ કાળજી, આ સંયમનું ફ્ળ ? સદ્ગતિ અને મોક્ષ પણ તે આચરવાનું તો
Page 118 of 191