________________
प्रकृप्याम्यपकारिभ्य-इति चेदाशयस्तव । તત વિંછ ન pધ્વરિત રવી , વર્મઓને દુ:
૨હેતd Inશા उपेक्ष्य लोष्टक्षेप्तारं, लोष्टं दशति मण्डल: । मृगारिः शरमप्रेक्ष्य, क्षरक्षेसारमच्छति ।।३।।
હૈ: પર: પ્રેરિત: પૂરે-ર્મધં ધ્વતિ સ્મૃમિ : | तान्युपेक्ष्य परे कुध्यन्, किं श्रये भषणश्रियम् ।।४।। श्रूयते श्रीमहावीर:, क्षान्त्यै म्लेच्छेषु जग्मिवान् । अयत्नेनागतां शान्ति, वोढुं किमिव नेच्छसि ।।७।।
त्रैलोक्य प्रलयत्राण-क्षमाश्रेदाश्रिता: क्षमाम् । कदलीतुल्यसत्त्वस्य, क्षमा तव न किं क्षमा ||६|| तथा किं नाकृथा: पुण्यं, यथा कोडपि न बाधते ? |
स्वप्रमादमिदानी तु, शोचन्नग्डीकुरु क्षमाम् ||७||" “જે પોતે પાપને અંગીકાર કરીને મને બાધિત કરવા ઇચ્છે છે, તેવા પોતાના કર્મથી હણાયેલા. આત્મા ઉપર મૂર્ખ માણસ પણ ક્રોધ કેમ કરે ? અર્થાત-એવી રીતિએ કર્મથી પરાધીન થયેલા આત્મા ઉપર કોપ કરવાની મૂર્નાઇ મૂર્ખ માણસ પણ ન કરે, તો પછી ડાહ્યો માણસ તો કરે જ કેમ ?”
વળી. “તારો આશય જો એવો જ હોય કે-હું અપકારી આત્માઓ ઉપર કોપ કરૂં છું.-તો તું દુ:ખના હેતુભૂત તારા પોતાના કર્મ ઉપર જ કોપ કેમ નથી કરતો ?
બાકી તો. સિંહ જ્યારે બાણને જોયા વિના બાણના ફ્લનારને મેળવે છે, ત્યારે કુતરો પથ્થર ફ્લનારની ઉપેક્ષા કરીને પથ્થરને કરડે છે.”
માટે જે ક્રૂર કર્મોથી પ્રેરાયેલો બીજો મારા ઉપર કોપ કરે છે, તે કર્મોની ઉપેક્ષા કરીને તે બીજા ઉપર ક્રોધ કરતો તું ભસવાની શોભાને શા માટે આશ્રય કરે છે ? અર્થાત-જે કર્મોના પ્રતાપે સામો આપણા ઉપર કોપ કરે છે, તે કર્મોની ઉપેક્ષા કરી કોપ કરનાર ઉપર કોપ કરવો, એ તો કુતરાના સ્વભાવને જ અનુસરવા જેવું છે, કારણ કે-મનુષ્યનો એ સ્વભાવ ન જ હોવો જોઇએ !”
વધુમાં હે આત્મન ! સંભળાય છે કે-ક્ષમા માટે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પ્લેચ્છ દેશમાં પધાર્યા હતા, તો તારી સામે એવો પ્રયત્ન કર્યા વિના જ આવીને ઉભેલી ક્ષમાને વહન કરવાને તું શા માટે નથી ઇરછતો ? એટલે કે-આવા સુંદરમાં સુંદર ક્ષમાના પ્રસંગને તું કેમ વધાવી નથી લેતો ?”
આમ નહિ કરનારા તત્ત્વજ્ઞાની નથી ગણાતા, પણ ભયંકર અજ્ઞાનિઓ જ ગણાય છે. તત્ત્વજ્ઞાનિઓ. તો એમ જ વિચારે છે કે- “દુનિયા જેના વચને વચન ઉપર આધાર રાખે છે તેવા અમે અમારા વચનમાં એક સરખી સ્થિતિએ ન રહીએ તો જગતનું થાય શું ?' પોતાની જાતને તત્ત્વજ્ઞાની તરીકે પંકાવતો આદમી, સમયે સમયે પોતાની વાતોને યથેચ્છ રીતિએ ફ્રવતો રહે, એને જગત પરિણામે આશિર્વાદ આપે કે શ્રાપ આપે ? અને અજ્ઞાની દુનિયાની માફ્ટ જેના વિચારો અને વૃત્તિ અસ્થિર થઇ જાય, તેને અજ્ઞાનિઓ.
Page 178 of 191