________________
જાય છે અને એથી એ આત્માના એ તપના આસેવનને પણ સમ્યક કોટિના તપમાં ગણવામાં આવતું નથી.
જ્યારે સમ્યકત્વનો એ પ્રભાવ છે કે-એની હયાતિમાં જ્ઞાન એવી રીતિએ આત્મામાં પરિણમે છે કે જેથી એ જ્ઞાન સમ્યજ્ઞાન ગણાય, ચારિત્રનું પાલન એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ ચારિત્રનું પાલન સમ્યક ચારિત્ર ગણાય અને તપ પણ એવા ભાવપૂર્વકનું બને છે કે જેથી એ આત્માને વળગેલાં કર્મ તપે, કર્મની નિર્જરા થાય અને એ હેતુથી એ તપ સમ્યક તપની કોટિનું ગણાય. સમ્યગ્દષ્ટિનો મૃતધર્મનો રાગ
ભાવ શ્રાવકમાં શુક્રૂષા, ચારિત્રધર્મનો રાગ અને દેવ-ગુરૂની વૈયાવચ્ચનો નિયમ તો અવશ્ય હોય. છે. શ્રી જેનશાસનમાં ભાવ શ્રાવકની શુશ્રુષાનો પણ ખાસ પ્રકાર વર્ણવાએલો છે. આમ તો શુશ્રુષાનો અર્થ થાય “સાંભળવાની ઇચ્છા” પણ શું સાંભળવાની ઇચ્છા અને તે ઇચ્છા પણ કેવી પ્રબળ, એ વાતેય સમજી લેવા જેવી છે. જીવ સમ્યગ્દર્શનને પામ્યો, એટલે તત્વાર્થ શ્રદ્ધાનના કારણને પામ્યો. આ કારણ એવું છે કે-જો સામગ્રી મળે તો એ પોતાના કાર્યને નિપજાવ્યા વિના રહે નહિ.
સ, એ શું?
મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમાદિથી જન્ય રૂચિ રૂપ આત્મપરિણામ વિશેષ, એને ઉપકારિઓ સમ્યકત્વ કહે છે અને તત્વની શ્રદ્ધાને ઉપકારિઓ સખ્યત્વનું કાર્ય કહે છે. સમ્યક્ત્વ હોય તો જ સાચું તત્વથદ્વાન હોઇ શકે અને જ્યાં જ્યાં સાચું તત્વશ્રદ્વાન હોય ત્યાં ત્યાં સમ્યકત્વ અવશ્યમેવ હોય. આમ બન્ને વાક્યો કહી શકાય. આથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને એમ પણ કહેવાય છે કે-તત્વાર્થ શ્રદ્વાન એ સમ્યકત્વ છે, કારણ કે- સામગ્રીસંપન્ન અવસ્થામાં તત્વાર્થથદ્વાન રૂપ કાર્ય, સમ્યકત્વ રૂપ કારણના યોગે અવશ્યભાવિ કાર્ય છે. તત્વાર્થશ્રદ્ધાન એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલા. જીવાદિ તત્વભૂત પદાર્થોનું શ્રદ્ધાન. આવી તત્વરૂચિ જન્મ, એટલે આત્માને ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલા તત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થયા વિના રહે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલા તત્વસ્વરૂપને જાણવાની ઇચ્છા થાય, એટલે ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની ઇચ્છા પણ થાય જ : કારણ. કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ક્રમાવેલું તત્વસ્વરૂપ ધર્મશાસ્ત્રોમાં જ વર્ણવાએલું છે. સમ્યગ્દ,ટિ આત્મા સદુબોધ મેળવવાને ખૂબ જ આતુર હોય છે અને ધર્મશાસ્ત્રોનું શ્રવણ એ સમ્યગ્દષ્ટિ આત્માઓને માટે તો સંબોધનું અવધ્ય કારણ છે; આથી સમ્યદ્રષ્ટિ આત્માઓને ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની પ્રબળ ઇચ્છા થાય છે. ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની સમ્યદ્રષ્ટિ આત્માઓની ઇચ્છા કેટલી પ્રબળ હોય છે, એ વસ્તુનો ખ્યાલ આપવાને માટે શાસ્ત્રકાર પરમર્ષિઓએ કામી જનનું ઉદાહરણ આપ્યું છે કામી આત્માઓને ગીતના. શ્રવણનો જે રાગ હોય છે, તેનાથી પણ અધિક રાગ સમ્યગ્દષ્ટિ આત્માઓને ધર્મના શ્રવણનો હોય છે. કામી પણ સામાન્ય નથી સમજવાનો. વયે યુવાન, કામકળાઓમાં કુશળ અને કાન્તાથી પરિવરેલો-એવા. કામી જનને કિન્નરગાનના શ્રવણનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો એ કિન્નરગાનના શ્રવણમાં એને જે રાગ હોય છે, તેના કરતાં પણ અધિક દ્રઢ રાગ સમ્યગ્દષ્ટિ આત્માઓને ધર્મશ્રવણમાં હોય છે. સમ્યગ્દષ્ટિનો ચારિત્રધર્મનો રાગ
સમ્યગ્દષ્ટિ આત્માઓને જેમ મૃતધર્મનો રાગ આવા પ્રકારનો હોય છે, તેમ સમ્યદ્રષ્ટિ આત્માઓને ચારિત્રધર્મનો રાગ પણ અસામાન્ય કોટિનો હોય છે. સમ્યદ્રષ્ટિ આત્માઓના ચારિત્રધર્મી
Page 104 of 191