________________
મોક્ષને પામી શકે છે, એટલે સમ્યદ્રષ્ટિ આત્માઓમાં શ્રુતધર્મનો રાગ પણ હોય અને ચારિત્રધર્મનો રાગ પણ હોય. શ્રુતધર્મનો સાચો રાગ હોય અને ચારિત્રધર્મનો રાગ ન હોય, એ બને જ નહિ. હેયોપાદેયના વિવેક વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન ગણાય છે અને હેયોપાદેયના વિવેકપૂર્વકના જ્ઞાનનો રાગ તો સૂચવે છે કે-એ આત્મા હેયના ત્યાગનો અને ઉપાદેયના સ્વીકારનો અભિલાષી છે. અવિરતિ સમ્યદ્રષ્ટિ આત્માઓ હેય ક્રિયાઓથી રહિત જ અને ઉપાદેય ક્રિયાઓથી સમલંકૃત જ હોતા નથી; ક્રિયાઓની દ્રષ્ટિએ જોઇએ, તો તેમને શુદ્ધ ક્રિયાવાળા કહી શકાય જ નહિ, તેમની વાણી પણ પાપરહિત જ હોય એમેય કહી શકાય નહિ; પણ તેઓ ભાવથી શુદ્ધ ચિત્તવાળા હોય છે, એમ જરૂર કહી શકાય; કારણ કે- તેઓમાં સમ્યક્ત્વ રૂપ શુભ આત્મપરિણામ તો પ્રગટેલો જ છે અને એથી તેઓમાં શ્રુતધર્મનો તથા ચારિત્રધર્મનો રાગ પણ છે. સમ્યદ્રષ્ટિનો રાગ અને વિરાગ
એ આત્માઓની એવી દશા હોય છે કે-જે ક્રિયાઓ એમને વસ્તુતઃ ગમે છે, તે ક્રિયાઓને આચરવાને તેઓ અસમર્થ છે અને જે ક્રિયાઓ એમને વસ્તુતઃ નથી ગમતી, તે ક્રિયાઓને તેઓ છોડી શકતા નથી. અહીં કોઇને પૂછવું હોય તો તે પૂછી શકે કે- ‘તો શું અવિરતિવાળા સભ્યદ્રષ્ટિ આત્માઓ સંસારની જે ક્રિયાઓ કરે છે, તે રાગ વિના જ કરે છે ?' આવા પ્રશ્નના જવાબમાં ‘હા’ પણ કહી શકાય અને ‘ના' પણ કહી શકાય. અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓ સંસારની જે ક્રિયાઓ કરે છે, તે રાગરહિતપણે કરે છે-એવું એ અપેક્ષાએ કહી શકાય કે-સંસારની ક્રિયાઓ તરફ્નો તેમનો જે ઉપાદેયપણાનો રાગ હતો, તે રાગ સમ્યગ્દર્શનની હયાતિમાં રહેવા પામ્યો નથી, એટલું જ નહિ પણસંસારની ક્રિયાઓ તજવા જેવી જ છે-એવો સંસાર પ્રત્યેનો વિરાગભાવ પણ એ આત્માઓમાં પ્રગટેલો જ છે. અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓ, તેમને તેમના અનન્તાનુબંધિ કષાયોનો ઉદય નહિ હોવાથી આવી ઉત્તમ દશાને પામેલા છે, પણ બાકીના ત્રણ પ્રકારના એટલે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન કષાયોનો ઉદય તો તેઓને છે જ, એટલે એ કષાયો પણ કામ તો કરે ને ? અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કષાયોનો ઉદય હોય તો સમ્યદ્રષ્ટિ આત્માઓને પણ સંસારની ક્રિયાઓમાં તે ક્રિયાઓને કરવાજોગો રાગ તો થાય જ અને એ દ્રષ્ટિએ અવિરત સમ્યદ્રષ્ટિ આત્માઓ સંસારની
ક્રિયાઓ રાગથી કરે છે એમ પણ કહી શકાય, પણ સમ્યગ્દર્શન ગુણના યોગે એ રાગને મહત્વ મળતું નથી. અપ્રત્યાખ્યાનાવરણીય આદિ કષાયોનો ઉદય જેમ અવિરતિની ક્રિયાઓના રાગને જન્માવે તેમ આ રાગ અને આ ક્રિયાઓ પણ તજવા યોગ્ય જ છે-એવા ભાવ સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવે. અવિરત સમ્યદ્રષ્ટિ આત્માનો સંસારનો રાગ પાંગળો હોય છે અને શ્રુતધર્મ તથા ચારિત્રધર્મ વિષેનો એનો રાગ અતિશય પ્રબલ હોય છે, એટલે સમ્યદ્રષ્ટિ આત્માઓને પણ વિરાગી કહી શકાય. આમ છતાં પણ, કેવળ બહારની ક્રિયાઓને જોનારને સમ્યદ્રષ્ટિ આત્માના આ મનોભાવનો ખ્યાલ આવે શી રીતિએ ? રાગનો ભેદ એ માનસિક વસ્તુ છે અને માનસિક વસ્તુનો ખ્યાલ તો સાચા વિવેકિઓને જ આવી શકે ને ? સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં આનંદની વૃષ્ટિ
આપણે જોઇ ગયા તેમ અન્તરકરણની પ્રથમ ક્ષણમાં મિથ્યાત્વમોહનીય કર્મનો અલ્પાંશે પણ ઉદય નહિ હોવાને લીધે તેમજ અતિ દીર્ઘ સ્થિતિવાળા કર્મને આત્માના અનિવૃત્તિકરણરૂપ શુભ પરિણામને લઇને દબાવી રાખેલાં હોવાને લીધે અર્થાત્ રાગ-દ્વેષની ઉપશમ અવસ્થાને લઇને આત્માને ઔપશમિક સમ્યક્ત્વ
Page 106 of 191