Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 90
________________ પ્રયત્નો કરે, તેઓને હું તારી શકું એમ નથી. અને દીવો કહે છે કે-આંધળા આગળ હું પ્રકાશ કરૂં શી રીતે ? તથા ગવૈયો કહે છે કે-હું બધા જ તાલસુર જાણું છું, પણ બેરાને કદી રાજી ન કરી શકું. તેમજ અનંત શક્તિના સ્વામીઓ પણ નાલાયકો ઉપર ઉપકાર કરવાને અશક્ત છે, કારણ કે-તે તારકોનું તત્ત્વજ્ઞાન એવા આત્માઓ ઉપર પડીને કાંઇ કામ કરે તે અશક્ય છે. જો સારા માણસ દરેકના ઉપર અસર કરી શકતા હોત, તો દુનિયામાં આજે દુઃખી કોણ હોત ? અસાધ્ય વ્યાધિવાળાને વૈદ્યોએ પણ ના પાડી છે કે નહિ ? ઉંચામાં ઉંચી શક્તિવાળા માણસોએ પણ અધમ આચરણવાળા અયોગ્ય આત્માઓ માટે કીધું છે કે-તમારા માટે ભલું કરવાને અમારી પાસે ઉપાય નથી ! છતાં જે એમ કહે છે કે-હું તો બધાને જ સુધારી શકું તેમ છું, તેના જેવો બીજો મૂર્ખ પણ કોણ ? સારી વાતના અખતરા પણ યોગ્ય આત્માઓ ઉપર થાય, પણ અયોગ્ય આત્માઓ ઉપર ન થાય. અયોગ્ય આત્માઓ ઉપર પણ સારી વસ્તુનો ઉપયોગ કરનારા વસ્તુતઃ તત્ત્વજ્ઞાની નથી, પણ અતત્ત્વજ્ઞાનીના આગેવાનો છે. તત્ત્વજ્ઞાની માત્ર વસ્તુના સાચા પ્રકાશક છે અને વસ્તુનું પ્રકાશન કરવા છતાં ન સમજી શકે છતાં યોગ્ય હોય તો તે સામાની આંખ પણ પહોળી કરે, પણ અયોગ્ય આત્માની નહિ. કેમકે-તેવાઓનો તો સ્વભાવજ એવો હોય છે કે-દવા પાવા જનારને કહે કે‘ઝેર પાવા આવ્યો.’ એવી રીતે ઉધુંજ બોલનારા આત્માઓ ઉપર સારા આત્માઓ પણ ઉપકાર નથી શકતા, કારણ કે-આખીએ દુનિયાના આધાર રૂપ તત્ત્વજ્ઞાનીઓ જગત એમ રે નહિ, પણ સન્માર્ગ ઉપર સ્થિર જ રહે. ડાહ્યો માણસ તો વિચિત્ર અને વિલક્ષણ કાદવમાં ખૂંચેલાને કાઢવા માટે પણ, પોતે તો કીનારે જ ઉભો રહીને થાય તે પ્રયત્નો કરે, પણ પોત અંદર ન જાય. કારણ કે-જાય તો એકનું ભલું કરવા જતાં તેનું ને પોતાનું એમ બેયનું ભૂંડું થાય. આથી જ આપણે ઇચ્છીએ છીએ કે-આપણને વધુ પણ અજ્ઞાન ઉપકારીઓ ન મળો અને થોડા પણ સાચા તત્ત્વજ્ઞાની ઉપકારીઓ મળો, કે જેથી અપકાર થવાનો ભય તો આપણને રહે જ નહિ. એવા સાચા ઉપકારીઓ તત્ત્વજ્ઞાનીઓ શિવાય બીજા કોઇ જ હોઇ શકતા નથી, માટે તેવા તત્ત્વજ્ઞાનીઓને ઓળખવા માટે આપણે સતત્ પ્રયત્નો કરવા જોઇએ. એવા તત્ત્વજ્ઞાનીઓની ઓળખાણ આપતાં પરમ ઉપકારી તત્ત્વજ્ઞાની મહર્ષિએ માવ્યું છે કે " तेषां कल्याणाभिनिवेशितया निष्प्रयोजनो विकल्पो न चेतसि विवर्त्तते, अथ कदाचिदभावितावस्थायां विवर्तेत तथापि a ન निर्निमत्तं બાજો अथ कदाचिदतत्त्वज्ञजनान्तर्गततया भाषेरन् तथापि न निर्हेतुकं चेष्टन्ते, यदि पुनस्ते निश्कारणं चेष्टेरन् ततोडतत्त्वज्ञ - जनसार्थादविशिष्टतया तत्ववित्ता विशीर्येत” “તત્ત્વજ્ઞાની આત્માઓ કલ્યાણના જ રસિયા હોવાથી ૧- પ્રથમ તો તેઓના ચિત્તમાં પ્રયોજન વિનાનો વિકલ્પ જ હયાતિ નથી ભોગવતો, અને ૨- કદાચ કોઇ વખત પોતાની અભાવિત અવસ્થામાં તેવો વિકલ્પ ચિત્તમાં ઉત્પન્ન થઇ પણ જાય, તો પણ તે આત્માઓ વગર નિમિત્તે કશું બોલતા નથી. તથા ૩- કદાચિત્ તત્ત્વથી અજ્ઞાન લોકોની અંદર રહેવાના કારણે તેવું નિમિત્ત વિનાનું બોલી જાય, તો પણ તે પુણ્યાત્માઓ હેતુ વિનાની ચેષ્ટાઓ-પ્રવૃત્તિઓ તો ન જ કરે.” કારણ કે “જો તેઓ તેવી કારણ વિનાની ચેષ્ટાઆ પણ કરે, તો તેઓ અત્ત્વજ્ઞ લોકોના સમૂહથી અવિશિષ્ટ. Page 90 of 191

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191