Book Title: Muhapattina 50 Bolnu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 101
________________ પોતાની એ કર્મગ્રન્થિને જાણી શકે છે-એવું પણ બનતું નથી. પરન્તુ, જે જીવો પોતાની એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા સમજી શકે છે, તે જીવો પણ જો તે જીવોની કર્મસ્થિતિ એટલી હદ સુધીની ખપી જવા પામી હોય, તો જ પોતાની અનાદિકાલીન એવી એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા તો સમજી શકે છે. જ્ઞાનીઓ માવે છે કે-જીવની એટલી પણ કર્મસ્થિતિ જે ખપે છે, તે તેના પોતાના પરિણામથી જ ખપે છે, પણ એ પરિણામને એ જીવે કોઇ સમજપૂર્વક પેદા કરેલો હોતો નથી. જીવના ખાસ પરિશ્રમ વિશેષ વિના એ પરિણામ જીવમાં પેદા થઇ ગયેલો હોય છે. એટલા જ માટે, એ પરિણામને “યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. નદીમાં અથડાતે-કૂટાતે પાષાણ જેમ સુન્દર આકારવાળો અને અતિશય લીસો આદિ બની જાય છે, તેમ જીવ પણ અથડાતે-કૂટાતે પોતપોતાને પ્રાપ્ત થતી અવસ્થાદિને અનુસાર ઉત્પન્ન થયા કરતા પરિણામના વશે, કર્મસ્થિતિની એટલી લઘતાવાળો બની જાય છે. જીવ જ્યારે કર્મસ્થિતિની એટલી લઘુતાને પામે છે, ત્યારે કર્મગ્રબ્ધિ આવે છે. એટલે, પોતાની એ કર્મગ્રન્થિને જ જાણી શકે, તો તે જ જીવ જાણી શકે છે, કે જે જીવ પોતાની કર્મસ્થિતિની એટલી લઘુતાવાળો બન્યો હોય. સંસારની નિર્ગુણતાનું ભાન અને ધર્મશ્રવણેચ્છા આદિથી થતી પરિણામની શુદ્ધિ કર્મસ્થિતિની આટલી લઘુતા પ્રાપ્ત થયેથી, જીવના પુરુષાર્થની આવશ્યક્તા ઉભી થાય છે. અત્યાર સુધી પોતાના ખાસ પુરુષાર્થ વિના જ, સામગ્રી આદિને અનુસાર પેદા થતા યથાપ્રવૃત્તિકરણથી કર્મસ્થિતિ ખપી જવા પામી; પણ, એ પ્રકારનું યથાપ્રવૃત્તિકરણ હવે પછી જીવે સાધવાની પ્રગતિમાં કારણ બની શકતું નથી. હવે તો, જીવ જો ગ્રન્થિને ભેદે, તો જ એની સુન્દર પ્રગતિ શક્ય બને છે; અને, એ ગ્રન્થિભેદ અપૂર્વકરણથી જ શક્ય છે. અપૂર્વકરણ એટલે આત્માનો પોતાનો એવા પ્રકારનો શુભ અને તીવ્ર પરિણામ, વો શુભ અને તીવ્ર પરિણામ, અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા એ જીવને, પૂર્વે કદી પણ પ્રગટ્યો જ ન હોય. યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મસ્થિતિ ખપવાને કારણે કર્મગ્રન્થિની છેક નજદીકમાં આવી પહોંચેલા જીવે, કર્મગ્રન્થિને ભેદવાને માટે, એ અપૂર્વકરણને પેદા કરવો જ પડે છે. એ અપૂર્વકરણને પેદા કરે-એવાં પ્રકારના પુરુષાર્થને કરવાનો જે પરિણામ, તે પરિણામને પણ યથાપ્રવૃત્તિકરણ જ કહેવાય છે; પણ એ યથાપ્રવૃત્તિકરણ જીવે પોત પોતાના પુરૂષાર્થથી પેદા કરેલો કહેવાય છે; અથવા તો, એને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ તરીકે પણ ઓળખી શકાય છે. કર્મગ્રન્થિ સુધી પહોંચી ગયેલા જીવને, સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, એ શક્ય છે. અને, કર્મગ્રન્થિ સુધી પહોંચી ગયેલા જીવો પૈકીના જે જીવોને સંસારની નિર્ગુણતાનું ભાન થવા માંડે, તે જીવોમાં ક્રમે કરીને મોક્ષની ઇચ્છા જન્મ, એ પણ શક્ય છે. મોક્ષની ઇચ્છા જન્મવાના યોગે, મોક્ષના કારણ એવા ધર્મને જાણવાની ઇચ્છા પ્રગટે, એ પણ શક્ય છે. સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પેદા થવાથી અને મોક્ષ પ્રત્યે રૂચિનો ભાવ પેદા થવાથી જે જીવમાં ધર્મને જાણવાની ઇચ્છા પ્રગટે, એ જીવને ક્રમે કરીને ધર્મદાતા સંગુરુની પાસે જઇને ધર્મશ્રવણ કરવાનું મન થાય અને સાંભળેલા ધર્મના સ્વરૂપ સંબંધી ચિન્તન અને મનન આદિ કરવાનું મન થાય, એ પણ શક્ય છે. આ. બધી જે ઇરછાઓ પ્રગટે, એમાં જીવનો પોતાનો પુરૂષાર્થ તો છે જ; અને, એ પુરુષાર્થના બળે જીવના પરિણામની શુદ્ધિ પણ થયા જ કરે છે. એમ પરિણામની શુદ્ધિને સાધતે સાધતે જીવ અપૂર્વકરણને પણ પામી જાય છે. ધર્મશ્રવણ મોક્ષના ઉપાયને જાણવાના આશયે છે ? Page 101 of 191

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191