________________
( ૧૮ )
મહાત્મા ગાંધીજી સાથે તેમના મેળાપ ધમ શાળામાં થયે હતા. જૈનધર્મની કેટલીક ચર્ચા પછી ગાંધીજીએ કહ્યું હતું કે ‘સાધુસાધ્વીએ અવકાશના સમયમાં રેંટીયા કાંતે તા એમાં શું ખાટુ છે ? શ્રાવકના રોટલા ખાઇને કેટલાકને મજા કે આનંદ કરતાં અથવા તે। કલાકેાના કલાકેા કામન! અભાવમાં નકામા ગપ્પામાં કે નિદ્રામાં વ્યતીત કરતા દેખું છું તેથી આ પ્રશ્ન મને ઉદ્ભવે છે.’
મુનિશ્રીએ શાંતિથી એ વેળા સાધુધર્મની વ્યાખ્યા ષટ્ પ્રકારના જીવાની રક્ષા અને મુનિઓને કરવાની કરણી એવી સુંદર રીતે સમજાવી કે જેથી ગાંધીજીને આનંદ થયા. એ વેળા તેમને લાગ્યું કે સાધુ સમુદાયમાં આવા રત્ના પણ પડ્યા છે. ચારિત્રસંપન્ન આવા શ્રમણા ત્યાગ-વૈરાગ્ય-અહિંસા અને સત્યના સ ંદેશ પ્રચારવાનું કાર્ય કરે એ જ ઉચિત છે. એ દિવસથી મુનિશ્રીના હૃદયમાં ખાદીની પવિત્રતાએ અચળ સ્થાન જમાવ્યું. જીવનના અંત સુધી એનુ પરિધાન મુનિશ્રીએ ચાલુ રાખ્યું.
ઉપસ’હાર
લેખસંગ્રહ ભાગ પહેલામાં મુનિશ્રીના ચેાગીજીવન સંબંધી ચથા ઉલ્લેખ કરાયા હૈાવાથી અત્રે વધુ વિસ્તારનુ કે પુન: એ વાત આલેખવાનું પ્રયાજન નથી. ટૂંકામાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે સતાના જીવન લખાણુથી ઉકેલવાના કે–લાંબે સૂરે ગાવાને બદલે એમના કાઇ કોઇ પ્રસંગેા જાતે આચરણમાં ઉતારવાની ખાસ આવશ્યકતા છે.
મુનિશ્રીના જીવન પરત્વે જે સામગ્રી ઉપલબ્ધ થઇ એ પરથી ભક્તિભાવે મેં તે માત્ર શબ્દરચનારૂપ ફૂલગુંથણી કરી છે.