________________
( ૧૬ ). ઉલેખ છે. બાકી તેમના લખાણમાં જે વિવિધતા દષ્ટિગોચર થાય છે અને જે ભિન્ન ભિન્ન વિષયે પ્રતિ કલમ ચલાવેલી જેવામાં આવે છે તેના મૂળીયાં જુદા જુદા પ્રદેશમાંના વિહાર અને ત્યાં પ્રવતી રહેલી રસમેનું બારિકાઈથી કરેલ નિરીક્ષણ અને એ ઉપરથી તારવેલ રહસ્યમાંથી જડી આવે છે. - તેઓશ્રીની દષ્ટિમાં કેન્દ્રસ્થાને “ધર્મ” હેવા છતાં સામાજિક અને નૈતિક બાબતો કિંવા તંદુરસ્તી, સ્વચ્છતા કે સુઘડતાં અથવા તે સાદાઈ જેવા વિષયે તદ્દન દુર્લક્ષ્ય નહેતા પામ્યા. જૈન સમાજ કેમ ઉન્નત થાય? જેના સંતાનો કેમ જ્ઞાનસામગ્રીથી ભરપૂર બને? અને આત્મકલ્યાણના પંથે પળી માનવભવ પામ્યાનું સાર્થકય કેમ કરે ? એ તેમના અંતરમાં અપેનિશ રમતી ભાવનાએ હતી.
પાછલી જિંદગીનો મોટે ભાગે તેમણે શાશ્વત તીર્થની છાયામાં વ્યતીત કર્યો છે એટલે ત્યાંના જીવન પ્રતિ જરા આંખ ફેરવીએ.
ઘણી વખત તેઓ શત્રુંજય પહાડ પરથી ઉતરતાં સામા મળે. તાપ વધવા માંડ્યો હોય છતાં એઓ તો સમતાથી ઉપર ચડવા માટે ડગલાં ભરી રહ્યા હોય. દાદાના મંદિરમાં કે રાયણ પગલા હેઠળ ધ્યાનમાં લીન બન્યા હોય. મેડા ઉતરે ત્યારે તા. ઉપવાસ કરી લે. એમની એકાંતપ્રિયતા અને ધ્યાનમગ્નતાને એ પરથી ખ્યાલ આવે છે.
ચા નિરા સર્વભૂતાનાં, તસ્યાં વાર્ત સંચમી ! એ વાક્ય તેમના જીવનનો વિચાર કરતાં ડગલે પગલે યાદ આવે છે. દેવાલયમાં મૂર્તિ સામે એકતારતા સધાઈ હોય તે કલાકે વ્યતીત થઈ જાય. ઊંચી નજરે ભાગ્યે જ જોયું હશે અને