________________
( ૧૫ )
એટલા ખાતર આપવું પડે છે ’-ઇંદ્રિયા પર કાબૂ અને નિઃસ્પૃહતા ઊડીને આંખે વળગે તેવા. મધ્યાન્હ ગેાચરી જઇ રહેલા એ વાંકા વળેલા દેહવાળા મુનિજીને જોતાં ‘ અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશજી ’ વાળી સઝાય સહેજ યાદ આવતી.
કેટલાક ચિરસ્મરણીય પ્રસંગો—
ખંભાતમાં પધારેલા ત્યારે જિનાલયે દશનાર્થે જતાં તેમના જોવામાં આવ્યું કે મરનાર વ્યક્તિ પાછળ શ્રાવિકાઓ હદ અહારની રડારેાળ કરે છે, છાતી–માથા ફૂટે છે, પછાડા ખાય છે, છેડા વાળી ચકલા સુધી જાય છે એટલુ જ નહિ પણ એ રાકકળમાં નથી જોવાતી મેાડી રાત કે વહેલી પ્રભાત, આત્માની અમરતામાં શ્રદ્ધા ધરાવનાર શ્રી વીરના ઉપાસકે! માટે આ વર્તાવ શેાભાભર્યાં નથી, એમ લાગતાં જ એ વાત ધ્યાનમાં રાખી તિથિના દિવસે જ્યારે ઉપાશ્રય ખીચાખીચ ભરાયેલેા ત્યારે એ બનાવના ઉલ્લેખ કરી, આત્માની અમરતા, દેહની નશ્વરતા સાદી ભાષામાં પણ અસરકારક શૈલીમાં સમજાવી અને એ માટે સગર ચઢીના અને સુલસાના પુત્રાને મૃત્યુ–પ્રસંગ ટાંકી બતાવી એવું વાતાવરણ જમાવ્યું કે સંખ્યાબંધ નારીએએ વ્યવહાર તરિકે મરણ પાછળ એક દિન કરતાં વધુ રોકકળ કરવી નહીં એવા પચ્ચખ્ખાણ લીધા. તે દિવસથી અગાઉ ચાલતી હતી એ પ્રથાએ જડમૂળથી ઉખડી ગઇ. બીજા એક પ્રસ ંગે એક જ પાણીના ઠામમાંથી માત્ર એકના એક પ્યાલાથી પાણી પીવાતુ જોઇ એ કેવું ખરાબ છે? એથી ધર્મ દૃષ્ટિએ કેવી હાનિ છે ? તે દર્શાવી પાણી પીવાના તેમ જ પાણી લેવાના જુદા પાત્ર રાખવાના નિયમ આપ્યા. આ તા સામાન્ય પ્રકારના સ્મૃતિમાં રમતા