________________
( ૧૪ ) તે જ તેને શિષ્ય તરિકે સ્વીકારે. એમાં પણ ચેલે એટલે પિતાની દરેક પ્રકારની ખીજમત કરનાર સેવક” એવું તે માનતા જ નહીં. ગુરુ તરીકે એના જીવનમાં પ્રકાશ ફેંકી, એનામાં પ્રભુ શ્રી મહાવીરદેવના માર્ગ પ્રતિ સાચી ભક્તિ પ્રગટાવી, પોતે બાજુ પર રહી એની પ્રગતિ નિરખતા. ન તે જાતે પરાશ્રયી બનતા કે શિષ્યને પરાવલંબી બનાવતા. તેઓના શિષ્ય પ્રશિષ્યમાં નીચેના નામ પ્રાપ્ત થાય છે. ૧ શ્રી પુન્યવિજયજી
૩ શ્રી યત્નવિજયજી ૨ શ્રી ધનવિજયજી
૪ શ્રી લલિતવિજયજી શ્રી પુન્યવિજયજી કાળધર્મ પામ્યા છે. તેમના બે શિખે છે જેમના નામ શ્રી મનેહરવિજય અને શ્રી પ્રધાન વિજય છે.
મુનિશ્રીના ભકતેમાં કેટલાક તો એવા વ્રતધારી હતા કે મહારાજ જે ચીજે વહોરે તેટલી જ પોતે વાપરતા. એ સંબંધમાં એક કચ્છી બાઈ જેને “ગોરમા' તરિકે મહારાજશ્રી સાધતા તે યાદ આવે છે. મહારાજશ્રીને વાંચવા આવનાર વ્યક્તિને તેમના (ગેરમાનાં) આતિથ્યમાં આવ્યા સિવાય ચાલતું જ નહીં. મુનિશ્રી પણ આચારાંગ સૂત્રમાં યતિ માટેના જે નિયમે દર્શાવ્યા છે તેને અનુરૂપ થવા ખાસ ઉદ્યમવંત રહેતા. ઘણું વખત બાર વાગ્યા પછી જ એકાદિ તરપણી લઈ ગોચરી અર્થે નીકળતા, નીચી દૃષ્ટિએ જયણાપૂર્વક બે ચાર ઘર ફરતા અને જે કંઈ ભિક્ષા પ્રાપ્ત થતી તે લાવી પાણી સાથે રોળી નાંખી વાપરતા. આ સંબંધે એકાદ વાર પ્રશ્ન કરતાં જવાબ મલ્યો હતો કે હોજરી માત્ર ભાડું માંગે છે, સ્વાદ માગતી નથી અને એ ભાડું પણ શરીરદ્વારા ધર્મકરણું થાય