________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*શિ
કલ્પસૂત્ર ભાષાંતર
અને તેથી સ્વાધ્યાય-ધ્યાનમાં વ્યાઘાત થાય. સાધુને અમાંગલિક માને તો અપમાન કરે, શરીરે નુકસાન પણ
પ્રથમ કરે. વળી રૂપવતી સ્ત્રીઓ, ઘોડા, હાથી વિગેરે દેખી સાધુનું મન ચલિત થઈ જાય. વળી લોકોમાં નિંદા થાય
વ્યાખ્યાનમ્ કે સાધુઓ રાજપિંડ લે છે ઈત્યાદિ ઘણા દોષોનો સંભવ છે, તેથી પહેલા અને છેલ્લા જિનના સાધુને રાજપિંડ કલ્પ નહી. પણ શ્રી અજિતનાથ વિગેરે બાવીશ જિનના સાધુને રાજપિંડ કલ્પે. કારણ કે, તેઓ ઋજુ એટલે સરલ સ્વભાવી અને પ્રાજ્ઞ એટલે બુદ્ધિમાન-ડાહ્યા હોય છે, તેથી પૂર્વે કહેલા દોષોનો તેમને અભાવ હોવાથી રાજપિંડ કલ્પ. પહેલા જિનના સાધુ ઋજુ અને જડ-મૂર્ણ હોય છે, તથા છેલ્લા જિનના સાધુ વક્ર એટલે વાંકા અને જડ-મૂર્ખ હોય છે, તેથી તેમને રાજપિંડ કલ્પ નહીં I૪
૫ કૃતિવર્મ એટલે વંદન. સર્વ તીર્થકરના સાધુઓ દીક્ષાપર્યાયના ક્રમથી પરસ્પર વંદન કરે. પરંતુ આ સાધ્વી ઘણા વરસથી દીક્ષિત હોય, અને સાધુ નવો દીક્ષિત હોય, તો પણ સાધ્વી સાધુને વાંદે. કારણ કે- જ ધર્મમાં પુરુષ પ્રધાન છે. જો સાધુ સાધ્વીને વાંદે તો લોકમાં નિંદા થાય કે, - “જૈન ધર્મ તો ઉત્તમ છે, પણ તે એક ધર્મમાં વિનય નથી, કારણ કે સાધુ સાધ્વીને પગે લાગે છે આવી રીતે ઘણા લોક કર્મ બાંધે. વળી સાધ્વી સ્ત્રીજાતિ હોવાથી તેને ગર્વ આવે કે, મને સાધુ પણ વાંદે છે. ઇત્યાદિ ઘણા દોષનો સંભવ છે, તેથી આજના ય દીક્ષિત સાધુને પણ સાધ્વી વંદન કરે પી.
For Private and Personal Use Only