Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
૩૪
શ્રી બ્રહ૬ જૈન થોક સંગ્રહ બહુદળથી થયો હોય અને કોઈ બહુતર દળથી થયો હોય તેમ કોઈ કર્મ પુદ્ગલનાં દળ થોડાં હોય છે તે કોઈના વધારે હોય છે. તેનું પરિમાણ (માપ) તે પ્રદેશ બંધ.
આઠ કર્મની પ્રકૃતિ તથા સ્થિતિ ૧. જ્ઞાનાવરણીય કર્મ – આંખના પાટા સમાન, તેની પાંચ પ્રકૃતિ, સ્થિતિ જ. અંતર્મુહૂર્તની, ઉ. ૩૦ ક્રોડાકોડી સાગરોપમની.
૨. દર્શનાવરણીય કર્મ – રાજાના પોળીઆ સમાન, તેની નવ પ્રકૃતિ, સ્થિતિ જ. અંતમુહૂર્તની, ઉ. ૩૦ ક્રોડાકોડી સાગરોપમની.
૩. વેદનીય કર્મ – મધે ખરડ્યા ખડગ સમાન, તેની બે પ્રકૃતિ, સ્થિતિ જ. ૨ સમયની, ઉ. ૩૦ ક્રોડાકોડી સાગરોપમની.
૪. મોહનીય કર્મ – મદિરાના નશા સમાન, તેની અઠ્ઠાવીશ પ્રકૃતિ, સ્થિતિ જ. અંતર્મુહૂર્તની, ઉ. ૭૦ ક્રોડાકોડી સાગરોપમની.
પ. આયુષ્ય કર્મ – હેડ (બેડી) સમાન, તેની ચાર પ્રકૃતિ, સ્થિતિ જ. અંતર્મુહૂર્તની, ઉ. ૩૩ સાગરોપમની.
૬. નામ કર્મ – ચિતારા સમાન, તેની એકસો ત્રણ પ્રકૃતિ, સ્થિતિ જ. આઠ મુહૂર્તની, ઉ. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની.
૭. ગોત્ર કર્મ – કુંભારના ચાકડા સમાન, તેની બે પ્રકૃતિ, સ્થિતિ જ. આઠ મુહૂર્તની, ઉ. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની.
૮. અંતરાય કર્મ – રાજાના ભંડારી સમાન, તેની પાંચ પ્રકૃતિ, સ્થિતિ જ. અંતર્મુહૂર્તની, ઉ. 30 ક્રોડાક્રોડી સાગરોપમની.
૩. અનુભાગબંધ સંક્ષેપથી બતાવે છે - રાગાદિકગ્રસ્ત જીવ, અભવ્ય જીવની રાશિથી અનંત ગુણા અને સિદ્ધના જીવોની રાશિને અનંતમા ભાગ જેટલા પરમાણુ નિષ્પન્ન કર્મકંધ સમય સમય પ્રત્યે ગ્રહણ કરે છે તે દળીને વિષે પરમાણુ દીઠ કષાયના વશથી સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org