________________
છે દેશના-ર૬.
वेमाणिया दुविहा पन्नत्ता, तं जहा-कप्पोक्वन्नग० कप्पातीतगवेमाणिय. कप्पोवगा दुवालसविहा पण्णता, तं जहा-सोहम्मकप्पोवग० जाव अच्चुयकप्पोवगवेमाणिया ।
નારકી અને દેવે પચ્ચખાણ ન કરી શકે. શાસનની પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે, શ્રી ગણધર મહારાજાએ રચેલ પંચમાંગ શ્રી ભગવતીજીના આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ છે, જેમાં પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. નાનામાં નાના સુવર્ણના ટુકડામાં, તથા લગડીમાંના સુવર્ણમાં જેમ જરા પણ ફરક નથી, તેમ સ્વરૂપે જીવ માત્રમાં લગીર ફરક નથી. સૂક્ષ્મ એકેન્દ્રિયને જીવ તથા શ્રીસિધ્ધમહારાજને જીવ ઉભય જીવ સ્વરૂપે સરખા છે, પણ ફરક પુદ્ગલને અંગે છે. પુદ્ગલ સહિત છે તે સંસારી, અને પુદ્ગલ રહિત જીવે તે સિ. જીવમાં મુખ્યતયા આ બે ભેદ છે, તેમ પુગલ સહિત માં પણ અનેક ભેદે છે. ગતિના હિસાબે ચાર ભેદ, નારકી, તિર્યંચ, મનુષ્ય, અને દેવતા. જાતિના હિસાબે પાંચ ભેદ. એ કેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રય, ચૌરદ્રિય; અને પંચદ્રિય. કાયના હિસાબે છ ભેદ, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય; અને ત્રસકાય. એકન્દ્રિયના આ પાંચ ભેદો છે, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય. ત્રસકાય એટલે હાલતા ચાલતા તમામ છે. એ કેન્દ્રિયના છને એટલે પૃથ્વીકાયથી યાવત્ વનસ્પતિ કાયના જીને સ્થાવર જે કહેવામાં આવે છે. ત્રસકાયાં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય; તથા પંચેન્દ્રિય છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રય, જીવને વિકેલે દ્રિય કહેવામાં આવે છે. પંચેન્દ્રિય જીવોના ચાર ભેદ છે. નારકી તિર્યંચ મનુષ્ય અને દેવતા. નારકી, મનુષ્ય, તિર્યંચ તથા દેવતા માત્ર પંચેન્દ્રિયજ છે. તિર્યંચમાં પૃથ્વીકાય અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય તથા બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચરિન્દ્રિય પણ ખરા. ઉપરાંત પંચેન્દ્રિય તિર્યંચ પણ સમજવા. પુદગલ સહિત ના આ બધા ભેદ પુદ્ગલની વિચિત્રતાને આભારી છે. એકેન્દ્રિય નામકર્મવાળા જીવે તેવા શરીરપણે પગલે પરિણમાવે છે. બેઈન્દ્રિય નામ કર્મવાળા છે તેવા શરીરપણે પગલે પરિણાવે છે, એમ સર્વ જીવો માટે નામકર્માનુસાર તેના શરીર મુજબનું પુદ્ગલ-પરિણમન સમજી લેવું. સ્પર્શાદિ પાંચ ઈન્દ્રિયપણે પુદગલે પરિણાવાય છે, તેથી એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રય; અને પંચેન્દ્રિય એમ છ પાંચ પ્રકારના હેવાથી પુદ્ગલ પરિણમન પાંચ પ્રકારે છે એમ સમજવું. ઉત્કૃષ્ટ પાપનું પરિણામ મેળવવાનું સ્થાન નરક છે. નરક સાત છે. પાપના પ્રમાણની અને રસની ન્યૂનાધિકતાના પ્ર ગુમાં પરિણામમાં પણ તથાવિધ ફરક રહે છે જ, અને તે મુજબ નરકનાં સ્થાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com