Book Title: Bhagwati Sutrani Deshnao
Author(s): Sagaranandsuri, Hemsagar Gani
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 258
________________ દેશના શારાશ. [૩૯] કિંમત છે. નાનો છોકરે ચોપડામાં લખવા ઉપર નાખવાની રેતી ફેંકી દે, તે તમે ઠપકો આપે છે, કારણ કે રેતી-ધૂળની પણ તમે કીંમત સમજે છે. પણ દુધ ઘી ઢોળાઈ જાય તે ઢળનાર ઉપર કોધ કરે છે, કારણ કે તેમાં ઘી દુધની કીંમત તમે સમજ્યા છે. પરંતુ જીંદગીના વરસે, મહીનાઓ, દિવસે, કલોકેન કલાકે નકામે ગયા, તેની ધૂળ જેટલી પણ કીંમત તમે આંકી નથી. આટલાં વરસમાં આત્માએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેને હિસાબ ઘડીભર પણ તપાસ્ય છે ખરે? જીદગીની ધુળ જેટલી પણ કીંમત ગણી હિત તે જીંદગી માટે શું મેળવ્યું અગર શું મેળવવા લાયક છે; તેને વિચાર જરૂર કરત. મનુષ્ય જીંદગીની એક મીનીટની કિંમત દેવતાની જીદગીના ૨) કોડ પોપમ બરાબર છે. એક સામાયકમાં દેવતાનું આયુષ્ય ૯૨૫૯૨૫૯૨પ પલ્યોપમ બંધાય. તેલ ઘી દૂધ શા ભાવે લાવું છું, શા ભાવે વેચું છું, તેમાં લાભ નુકસાનને વિચાર કરીને લેવાય છે; અને વેચાય છે. આ મનુષ્ય જીદગીની એક મીનીટની કિંમત શાસ્ત્રકારો જેટલી કહે છે, તે પ્રમાણે તેની કિમત તમે ઉપજાવે છે કે નહિ? હું દરેક ક્ષણે કેટલું ગુમાવું છું? તેને વિચાર કઈ દીવસ આવે છે? સીઝનમાં (મેસમમાં) આળસ કરીને બેસી રહે અને મોસમ પુરી થાય એટલે પસ્તાવો કરે, પણ પાછળથી પસ્તાવો કરે તેમાં શું વળે? એમ આખી જીંદગી વેડફી નાંખે અને આખર વખતે પસ્તાવો કરે કે આખી જીંદગી સુધી પેટ ખાતર, એક શેર અનાજ માટે, અનેક જુઠા પ્રપંચ કર્યા, એટલું જ નહિં પણ ઘણું પાપ કર્મો કરી આ આત્માને ભારી કર્યો અહીં આ કમાયેલું પડી રહેશે, આમાંથી મારા સાથે કઈ પણ નહીં આવે, ફોગટ મેં મારી જીંદગી ગુમાવી; ધર્મરત્ન મેળવવાને બદલે પાપરૂપી પથરાએ માથું ફેડે તેવા મેળવ્યા. હવે આવતા ભવમાં મારું શું થશે? નરક તિર્યંચ ગતિમાં પરાધીનતા આદિનું :ખ દીઘકાળ સુધી ભેગવતાં પણ મારો છુટકારો નહિં થાય. ખરેખર? મનુષ્યભવ મેં એળે ગુમાવ્યું. આવા મનમાં ને મનમાં પશ્ચાતાપના વિચાર કરે, પણ હવે થાયશું? અર્થાત્ પારકી પંચાયતમાં જીવન વેડફાઈ ગયું હવે પશ્ચાતાપ કરે વળે શું? પ્રેરકની પુનીત પ્રેરણ. આ જીવ આખા જગતની ભાંજગડ કરે છે, પણ પિતે પિતાની ભાંજગડ કરતું નથી. આંખમાં એક માટે દુર્ગણ, આખા જગતને આંખ દેખે, પણ પિતાની અંદર રહેલા કાણને આંખ દેખાતી નથી. પિતાની આંખ લાલ થઈ હોય તે પોતે દેખી ન શકે, પણ પારકાની દેખી શકે; તેમ આત્મા પોતાનામાં રહેલા અવગુણોને પોતે જોઈ શકતું નથી. એ કયારે જોઈ શકે? જે ધર્મરત્ન આવ્યું હોય તે પિતાનામાં રહેલી ખામી જરૂર સમજી શકે. આવું ધર્મરત્ન મળ્યા છતાં સાચવવું ટકવું બહુ મુશ્કેલ છે. મનુષ્ય પૈસાવાળા થાય ત્યારે આપત્તિના ઢગલા પણ સાથે જ ખડા થાય છે. ચારે દરિદ્રના મકાન તરફ નજર કરતાં નથી, પરંતુ ધનવાનેના ઘર તર નજર કરે છે. જુગારીઓ પણ માલદારને ફસાવે છે. માલદાર થયે એટલે ચેર લુંટારા રાજા વ્યસનીઓની નજર તે તર ફરે, તેમ ધર્મરત્ન આપણુ પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260