________________
ગ્રંથ પ્રકાશનના સર્વ કાર્યમાં ઝીણવટપૂર્વકની જવાબદારી પાર પાડનાર, પ્રકાશન કાર્યના કેન્દ્ર સમાન પૂસ્વામિની તન્મયાનંદજીનો આભાર માનવો તે તેમના માટે અર્થહીન છે પરંતુ અમારું એ સદ્ભાગ્ય છે. પ્રકાશનકાર્ય માટે વારંવાર પ્રેસમાં જઈ કાર્યને વેગ આપી તેને સંપન્ન કરવામાં સહાયભૂત થનારા મનન પરિવારના મુમુક્ષુ ભાઈ શ્રી યોગેશ કોન્ટ્રાક્ટરના પણ અમે અત્યંત આભારી છીએ. આ ગ્રંથને પ્રકાશિત કરવામાં સહકાર આપવા બદલ મૌજ પ્રકાશનના શ્રી માધવભાઈનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
પ.પૂ.સ્વામીજીના આ મહાન ગ્રંથની ચોથી આવૃત્તિને આધ્યાત્મપ્રેમી પ્રજા સમક્ષ પ્રગટ કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.
હરિ ૐ.
ટ્રસ્ટી મંડળ
મનન”