Book Title: Aparokshanubhuti
Author(s): Tadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
Publisher: Manan Abhyas Mandal

View full book text
Previous | Next

Page 11
________________ સંપાય આ ગ્રંથનું સંપાદન અમારું સદ્ભાગ્ય છે- અમારું ગૌરવ છે. શ્રોતાસાધકોની પ્રાર્થના સ્વીકારીને પુસ્તક-પ્રકાશનની સંમતિ સ્વામીજીએ આપી તે આપણા સૌ માટે અપૂર્વ આનંદનો અવસર છે. આ પ્રવચનોમાં લગભગ એક તપ એટલે કે ચૌદ વર્ષ સુધીના સતત અને કઠોર સંઘર્ષ પછી પ્રગટ થયેલી વક્તાની કેટલીક શ્રદ્ધા અને અનુભૂતિઓનો બુલંદ રણકાર સંભળાય છે. સુદીર્ઘ સમયના પટ પર વાગોળાયેલી અનુભૂતિઓને અંતે ટેલી આ વાચા પરંપરાગત હોવા છતાં તેની અભિવ્યક્તિ મૌલિક આ વિષયનું આ પ્રકારનું ગુજરાતી ભાષાનું આ સૌ પ્રથમ પુસ્તક છે. સ્વામીજીએ શંકાનું સમાધાન કરતાં કરતાં કેટલી ધીરજથી, કેટલી સહિષ્ણુતાથી અને કેટલી આત્મશ્રદ્ધાથી “અપરોક્ષાનુભૂતિ” ને હસ્તામલકવત્ કરી મૂકી છે એનો તો આ પુસ્તકનું અધ્યયન કરનારને તરત જ ખ્યાલ આવશે. એ અપરોક્ષ-અનુભૂતિને આપણી સદાની સાથી અને ગુરુઓની પણ ગુરુ બનાવી શક્યાની અદભૂત ચાવી અહીં છે. જો એ ચાવી આપણને મળી જાય તો આપણે દyવ્યને જોતાં અને શ્રોતને સાંભળતાં થઈ જઈએ. ૦ સંપાદકો

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 532