Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬]
[૩૩ શરીર, મન, વાણી વગેરે પર પદાર્થો તે હું ને તે મારા છે એવી ભ્રાંતિનો ભાવ આત્માના અવલંબને સર્વથા નાશ કરવો જોઈએ. તે વિના મિથ્યાત્વનો ત્યાગ થતો નથી.
આત્મા સ્વ છે, તે સિવાય બધા પર છે. પરને પોતાના માનવારૂપ અહંકાર-મમકારબુદ્ધિ નાશ કરવી, પછી ચારિત્રદોષનો નાશ કરે. નબળાઈને લીધે રાગ થતો હોય તે સ્વભાવના આશ્રયે નાશ પામે છે. પ્રથમ મિથ્યાશ્રદ્ધા નાશ થાય ને પછી અસ્થિરતાના રાગનો નાશ થાય.
જ્યારે પર પદાર્થનો રાગભાવ મટે ત્યારે પૂર્ણાનંદને પામે. જ્ઞાનમૂર્તિ આત્મામાં પરનો પ્રવેશ નથી. દયાદાનાદિ વિકલ્પ પર છે, તેનો અભાવ થતાં સ્વસંવેદનરૂપ નિજજ્ઞાન થાય. પોતાની જાણ કેવી રીતે થાય તે બતાવે છે. પ્રથમ સાંભળે, વિચારે ને પછી શ્રદ્ધા થાય. જે જ્ઞાન પર્યાયમાં કે રાગમાં લાભ માની અટકે તે ભ્રાંતિનો દોષ છે ને ભ્રાંતિ વિના અટકે તે ચારિત્રદોષ છે. તે બન્નેનો જ્ઞાનમાં પ્રવેશ નથી, એમ નક્કી થતાં સ્વસંવેદનરૂપ નિજજ્ઞાન પ્રગટ થાય.
હલ્વે પોતાથી વાત કરે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચાર કરી નિજપદને જાણે એ એક જ રીત છે, પણ બીજી કોઈ રીતે નિજપદને જાણે નહિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com