Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૦]
[૩૭૧ સ્વરૂપમાં સ્થિરતા થાય છે. જ્ઞાન-દર્શનનો વિકલ્પ તેને અહીં દ્રવ્યશ્રુત કહે છે. નિમિત્ત, રાગની રુચિ છૂટી ગયા બાદ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા-એવા વિકલ્પને દ્રવ્યશ્રુત કહે છે. તે ગુણગુણીના ભેદનો વિકલ્પ મટે છે ત્યારે સમાધિ પ્રગટે છે.
જ્યાં સુધી વિકલ્પ હતો ત્યાં સુધી તો પુણ્યબંધનું કારણ હતું, પછી જ્યારે દ્રવ્યશ્રુતનો પણ વિકલ્પ છૂટી ગયો અને આત્મામાં એકત્વ થયું તે સમાધિ છે. આવું ધર્મનું સ્વરૂપ છે-એવી જેને ખબર નથી તે કદાચ દયા, દાન, ભક્તિ, વ્રત આદિના પરિણામ કરતો હોય તો પણ તેને ધર્મ થતો નથી. આત્મા કોણ છે? એને જાણી ગુણ-ગુણીનો ભેદ મટાડીને અંતલીનતા થાય–તેને ધર્મ થાય છે. ધર્મવિધિ તો પહેલાં જાણવી જોઈએ. વિધિ જાણ્યા વિના ધર્મ થતો નથી. પ્રથમ વિકલ્પ હોય છે પણ તે વિકલ્પના કારણે નિર્વિકલ્પ થવાતું-એમ જાણવું જોઈએ. આત્મા પરમાનંદસ્વરૂપ છે. એની દષ્ટિ કરવાથી વિકલ્પનો અભાવ થાય છે–એની વિધિ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ખબર નથી અને વ્રત કરીએ તો ધર્મ થઈ જશે-એમ જે માને છે તે વિધિને સમજતો નથી. જેને ઘીગોળ અને લોટનો શીરો ખાવો હોય તેણે પ્રથમ વિધિ જાણવી પડે છે. વિધિ જાણે નહિ અને પાણીમાં લોટ નાખી દે તો શીરો થાય નહિ. એમ પહેલાં સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ જાણે નહિ અને વ્રતાદિ શુભભાવથી ધર્મ થઈ જશે એમ માને તેને ધર્મ કે મોક્ષમાર્ગ થતો નથી.
આત્મા શુદ્ધ ચિદાનંદ છે, એની રુચિ કરવાથી અને એની લીનતાથી સમાધિ થાય છે અને એ જ વીતરાગરૂપ સ્વસંવેદનભાવ છે.
જ્યારે એકત્વચેતનામાં મન લાગી લીન થયું ત્યાં ઇંદ્રિયજનિત આનંદના અભાવથી સ્વભાવનું લક્ષ થતાં રસાસ્વાદ કરી આનંદ વધ્યો. ત્યાં વિવેકરૂપી શુદ્ધ પરિણતિ છે. જ્યાં પરમાત્માનો વિલાસ નજીક થયો ત્યાં
અનંતગુણનો રસ પાછો પરિણામ વેદી સમાધિ લાગી, નિર્વિકાર ધર્મના વિલાસનો પ્રકાશ થયો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com