Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 416
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મહા વદ ૧૨, બુધ ૧૧-૨-૫૩ 9. -૬૬ શરીરની ક્રિયા જડથી થાય છે, આત્માથી થતી નથી, તે પ્રથમ જાણવું જોઈએ. વ્યવહારથી પણ આત્મા શરીરને ચલાવી શકતો નથી. શુદ્ધ ચિદાનંદ આત્માની શ્રદ્ધા થયા પછી શુભરાગ આવે તેને જાણવો તે વ્યવહાર છે. શ૨ી૨ની ખાવા-પીવા આદિની ક્રિયા આત્માથી થાય છે એમ માનવું તે મૂઢતા છે. સારાં આહાર-પાણી મળે તો આત્મા ઉપર પ્રભાવ પડે તે માન્યતા મિથ્યાદષ્ટિની છે. ૫૨ પદાર્થનો પ્રભાવ આત્મા ઉપર પડતો નથી. આહાર અને આત્મા વચ્ચે અત્યંત અભાવ છે. જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું હોય તેણે શરીર ઉપરનું મારાપણું છોડવું. હું જ્ઞાનાનંદ છું, શરીર તે હું નથી, રાગાદિ મારો સ્વભાવ નથી-એવી દૃષ્ટિ કરવી તે ધર્મ છે. અનાદિથી અજ્ઞાની જીવ શરીર, મન વાણીની ક્રિયાને પોતાની માને છે તથા પુણ્યથી લાભ માને છે, તે ઉજ્જડને વસ્તી માને છે. ધર્મીજીવ પુણ્યથી ધર્મ માનતો નથી. સારાં આહાર-પાણી આદિ જડની ક્રિયામાં આત્મા નથી ને વિકારી પરિણામમાં નિર્વિકારી સ્વભાવ નથી, છતાં પરથી ને પુણ્યથી ધર્મ માને તે ઉજ્જડને વસ્તી માને છે. જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણોનો પિંડ આત્મા છે તેને ઉજ્જડ માને છે; એટલે તેની શ્રદ્ધા કરતો નથી. અનંત કાળથી લોકોએ નિમિત્તને સુધારવાની, પુણ્ય કરવાની વાત સાંભળી છે, પણ શરીર રહિત, રાગ રહિત શુદ્ધ આત્માની વાત સાંભળી નથી. ભગવાનની વાણીનો જે આશય છે તે પકડયો નથી, તેથી તેણે તે વાત સાંભળી નથી. શરીર, Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427