Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 422
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ફાગણ સુદ ૧, શનિ ૧૪-૨-૫૩ પ્ર. -૬૭ સંસારમાં પણ વસ્તુનું ગ્રહણ કરતાં જેલમાં જવું પડે છે, તેમ જ્ઞાનાનંદસ્વભાવની નિજ આત્માની દષ્ટિ છોડીને વિકાર જેટલો જ હું છું એમ માનતાં જન્મ-મરણનું દુ:ખ ભોગવવું પડે છે. હું શુદ્ધ ચિદાનંદ છું, વિકાર મારું સ્વરૂપ નથી, એમ ભેદજ્ઞાન થાય ને શરીરાદિમાં મારાપણાની પક્કડ છૂટે તો શાહુકાર કહેવાય, નહિતર શાહુકાર કહેવાય જ નહિ. હું શુદ્ધ ચૈતન્યનો સ્વામી છું એવી દષ્ટિ થાય તો શાહુકાર થાય ને પરનો સ્વામી થાય તે ચોર થાય. સ્વાશ્રયથી જ લાભ થાય એમ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવની દષ્ટિ કરતો નથી પણ વિકાર અને સંયોગની દૃષ્ટિ કરે છે તે ચોર છે. જ્યારે પોતામાં વિવેક કરે કે રાગાદિ પરિણામ હું નથી, હું શુદ્ધ ચૈતન્યસ્વભાવી છું-એમ ભેદજ્ઞાન કરે તો શાહપદ ધરી સુખી થાય; વીતરાગી પરિણતિ દ્વારા પોતાનું ઘર સ્થિર કરે. પોતાની ચિદાનંદ લક્ષ્મીને માનતો નથી ને પરને પોતાનું માને છે તે પોતાનું ઘર લૂંટાવે છે. શક્તિવાન આત્મા છે તેને ભજવાનું કહે છે. પુણ્ય-પાપમાં આત્માની ખરી શક્તિ નથી. શક્તિવાન આત્માનાં શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતા કરે તો મુક્તિ થાય. અનાદિથી શુભાશુભ લાગણીને પોતાની ચીજ માની હતી તેથી અસ્થિરતા થતી હતી, અસ્થિરપદનો પ્રવેશ પોતામાં છે એમ માની ધ્રુવ સ્વભાવને પોતાનો માનતો નથી એ જ ઊંધી માન્યતા છે. પુણ્યાદિ વિકાર કરું તો મને શાંતિ થાય એવી માન્યતા છોડી શુદ્ધ ચિદાનંદની દષ્ટિ કરે તો મુક્તિમહેલમાં પહોંચે. પોતાના સ્વરૂપનાં શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા તે સાક્ષાત Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427