Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 423
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૨] [ શ્રી અનુભવ પ્રકાશ મોક્ષમાર્ગ છે. આત્માની કેવળજ્ઞાનદશાને શિવપદ કહે છે. અનુભવથી તે પમાય છે. વિકારથી કે ક્રિયાકાંડથી શિવપદ મળતું નથી. “વિયા પર્યાયી છે રળિ” સ્વરૂપની અનુભવદશાને પલટાવી તે અનુભવની ક્રિયા છે. જ્ઞાનસ્વરૂપ છે તેનો અનુભવ ત્રિભુવનમાં સાર છે, બીજાં કાંઈ સાર નથી. પુણ્ય આદિ પરિણામ શુભ ઉપયોગ છે, આસ્રવતત્વ છે, બંધનો માર્ગ છે, તે મુક્તિનો માર્ગ નથી. જ્ઞાયકસ્વભાવસમ્મુખ થઈને જે વીતરાગ દશા પ્રગટ કરે તે અનુભવ અનંત કલ્યાણનું કારણ છે. આત્મા વીતરાગી શાંતિ ને કેવળજ્ઞાનાદિ મહિમાનો ભંડાર છે. શાસ્ત્ર ભણે, ચાર અનુયોગ ભણે છતાં જેની તુલનામાં ન આવે તે બોધનું ફળ અનુભવ છે. બાર અંગના ભણતરનું ફળ અનુભવ છે. રાગદ્વેષ થાય છે તે વિકાર છે, દુઃખ છે. આત્મા શુદ્ધ ચિદાનંદ છે એમ અનુભવ કરવો તે ભેદજ્ઞાનનું ફળ છે. અનુભવ વરસનો રસ છે. આત્મા સિદ્ધસ્વરૂપ છે એવી અંતરદૃષ્ટિ કરી આત્માના રસની પર્યાય નીકળે છે તે સ્વરસ છે વસંતમાલતી' વગેરે દવાના રસમાં કાંઈ માલ નથી. આત્મા ચિદાનંદ શુદ્ધ ધ્રુવ આનંદકંદ છે, તેની શક્તિના રસની પ્રગટતા એ જ ખરો રસ છે. પ્રશ્ન- અમને તો આત્માનો બહાર બધું દેખાય છે. સમાધાન - તે બધું પોતાની પર્યાયમાં દેખાય છે પણ પર્યાય જેટલો આત્મા નથી. આત્મા પર્યાયવાન છે, જ્ઞાનાનંદસ્વભાવ છે, તેની પ્રતીતિ કરીને લીનતા કરવી તે રસ છે. પુણ્ય-પાપના ભાવ વિકાર છે, તે રહિત આત્માનો અનુભવ કરવો તે ધર્મ છે. આત્મા ત્રિકાળ ધ્રુવ સત્ છે તેવી દષ્ટિ ને જ્ઞાન વિના રાગને વ્યવહાર પણ કહેવાતો નથી. અનુભવ સ્વસંવેદન છે. આત્મા જ્ઞાનાનંદ છે, તેનું વેદના સ્વસંવેદન છે; પુણ્યનું વદન તે સ્વસંવેદન નથી. લોકોએ આ વાત સાંભળી નથી. જગતને વાસ્તવિક તત્ત્વની Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427