Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 419
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૮] [ શ્રી અનુભવ પ્રકાશ આત્માનું ભાન થયા પછી યથાયોગ્ય આહાર લેવાની વૃત્તિ આવે છે. મુનિને ઉશિક આહાર લેવાની વૃત્તિ થવી તે પ્રમાદ છે. તેવો વિકલ્પ મુનિઓ છોડી દે છે. અભક્ષ્ય લેવાની વૃત્તિ જ થતી નથી. પર ચીજનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં નથી, જો પરનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં હોય તો આત્મા અને પર એક થઈ જાય. માંસ, મદિરા આદિ લેવાનો અશુભ રાગ સમ્યગ્દષ્ટિને કદી પણ આવતો નથી. પર પદાર્થ છોડવાની વાત નથી. જડ પદાર્થને લઈ શકું છું કે છોડી શકું છું એમ માનવું તે મિથ્યાત્વ છે, તેમ જ શુભ રાગથી પરની પર્યાય થાય છે એમ પણ નથી. જે આત્મજ્ઞાન થયા પછી મુનિપણું લે છે તેવા મુનિને ઉશિક આહાર લેવાની વૃત્તિ થતી નથી. આત્મા યા તો સ્વભાવની શ્રદ્ધા કરે અથવા શુભ-અશુભ રાગ કરે પણ પરનાં ગ્રહણ-ત્યાગ કરી શકે નહિ. યશોવિજયજી વળી કહે છે કે - “તમો રાગથી ધર્મ માનો નહિતર તમોએ રાગને છોડી દીધો ગણાશે, પણ તે વાત ખોટી છે, રાગથી ધર્મ છે જ નહિ. વળી વ્યવહારીને સમકિતી કહે છે, તે વાત પણ ખોટી છે. આત્માનું ભાન થયા પછી પણ જે શુભ રાગ આવે તે બંધનું કારણ છે ને ભાન થયા પછી પણ જે શુભ રાગ આવે તે બંધનું કારણ છે ને ભાન થયા પછી સ્વરૂપમાં લીનતા કરવી તે અબંધનું કારણ છે. “ જો નય પહિલે પરિણમે સોઈ કહું હિત હોઈ, નિશ્ચય કયો ધુરિ પરિણમે સૂક્ષમ મતિ કરી જોઈ.” શ્વેતામ્બર કહે છે કે “વ્યવહારને પ્રથમ કહો તો વ્યવહારને માન્યો કહેવાય ” પણ એ વાત સાચી નથી. વળી કહે છે કે જો સૂક્ષ્મ મતિથી જુઓ તો નિશ્ચય પહેલાં ન હોય.” એમ તે કહે છે પણ તે વાત ખોટી છે. શ્રી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, સમન્તભદ્ર આદિ આચાર્ય પ્રથમ નિશ્ચય પ્રગટે ત્યારે શુભ રાગને વ્યવહાર કરે છે. સમયસાર ગાથા ૪૧૩ માં કહે છે કે કષાય મંદતાના પરિણામમાં અનાદિથી જીવ આરૂઢ છે, તેને વ્યવહાર કહેવાતો નથી; કેમકે તેને રાગની રુચિ છે. યશોવિજયજીએ દિગમ્બરની ટીકા કરી કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427