Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા વદ ૧૧, મંગળ ૧૦-૨-૫૩
પ્ર. -૬૫
જેને ધર્મ કરવો હોય તેણે શું કરવું? ધર્મ કહો, શાંતિ કહો, અહિંસા કહો, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહો, બધું એક જ છે. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપી છે, અનંત શક્તિનો ભંડાર છે તેની રૂચિ કરવી તે ધર્મ છે. દેહ, મન વાણીની ક્રિયા જડથી થાય છે, આત્માથી થતી નથી. કોઈ પણ પદાર્થ પલટન વિનાનો ન હોય. પર પદાર્થનું આત્મા કાંઈ કરી શકતો નથી. સમ્યગ્દષ્ટિ બધા પદાર્થોનો જ્ઞાતા છે. પર ચીજો આત્માને સહાય કરે તેવું તે ચીજોમાં નથી ને આત્મા પરને સહાય કરે એવો આત્માનો સ્વભાવ નથી.
કેવી રીતે જ્ઞાન વડે વિચાર? શરીરમાં આત્મા છે તે દષ્ટિદ્વાર વડે દેખે છે. શરીર અને ઇંદ્રિયોથી આત્મા દેખતો નથી, પોતાના સ્વભાવથી દેખે છે. આત્મા શરીરનું કાંઈ કરતો નથી. પરની હિંસા કે અહિંસા કરી શકતો નથી. પોતાની પર્યાયમાં તીવ્ર રાગ, મંદ રાગ, અથવા રાગનો અભાવ કરી શકે છે. તીવ્ર રાગ પાપ છે, મંદ રાગ પુણ્યભાવ છે. દરેક પદાર્થ સત્ છે, તેની પર્યાય તેના કારણે થાય છે. દરેક પદાર્થ દ્રવ્યત્વગુણના કારણે દ્રવે છે-પ્રવહે છે, તેનું પરિણમન તેનાથી થાય છે. પરનું આત્મા કરી શકતો નથી, પરનું આત્મા કરે છે એમ કહેવું તે વ્યવહારમાત્ર છે. ઘીના સંયોગે માટીના ઘડાને ઘીનો ઘડો કહેવાય છે; તેમ પર્યાય પોતાના દ્રવ્યના કારણે થાય છે, ત્યારે પર વસ્તુના કારણે થાય છે એમ વ્યવહાર કહેવાય છે.
જો જીવની ઈચ્છાથી પરમાં કામ થતું હોય તો પોતાના વહાલા સ્ત્રી-પુત્રને કેમ મરવા દે છે? પરમાં કાંઈ બની શકતું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com