Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૪]
[૩૯૭ સ્વભાવના આશ્રયે જે શુદ્ધ પર્યાય પ્રગટે છે તે સંવર-નિર્જરા છે, મોક્ષ પૂર્ણ નિર્મળ પર્યાય છે. વગેરે પ્રકારે સાતે તત્ત્વોમાં જ્ઞાનીને વિપરીતતા આવતી નથી. દ્રવ્યસંવર, દ્રવ્યઆસ્રવ, દ્રવ્યબંધ, દ્રવ્યપુણ્યપાપ વગેરે અજીવમાં આવી જાય છે. આમ સાત તત્ત્વોને યથાર્થ જાણવા જોઈએ.
કેવી રીતે જ્ઞાન વડે વિચારે?
ધર્મી જીવ વિચારે છે કે હું ચેતન છું, હું જ્ઞાતાદ્રષ્ટા છું, દષ્ટિદ્વારા વડે દેખવું તે મારો સ્વભાવ છે, રાગથી દેખવું તે મારો સ્વભાવ નથી. આંખથી જીવ જતો નથી, આંખઅજીવ છે. તેનું વર્તમાન તે પદાર્થથી છે. આત્માથી આંખની ક્રિયા થતી નથી. હું તો મારા દર્શન દ્વારા દેખું છું, આંખથી નહિ, રાગથી નહિ, ઇંદ્રિયથી નહિ.
ભગવાન આત્મા કોઈ લિંગથી ગ્રહણ થાય એવો નથી. આત્મા ઇન્દ્રિયોથી પરને જાણતો નથી તેમ જ ઇંદ્રિયોથી પોતાને જાણતો નથી. પોતાનાં છ કારકો-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ પોતામાં છે. પોતાની પર્યાયનો કર્તા પોતે છે, પર્યાયરૂપી કાર્ય પોતાનું છે, સાધન પોતાનું છે, પોતાની નિર્મળતાનું પોતાને સંપ્રદાન કરે છે, પોતે કાયમ રહીને પોતામાંથી પર્યાય પ્રગટે છે. પોતાના આધારે શુદ્ધતા પ્રગટે છે. નિમિત્તના આધારે હું કાર્ય કરો નથી, મારા આધારે હું કાર્ય કરું છું એમ જ્ઞાની વિચારે છે. આમ છ કારકો પોતામાં છે. એમ સમજી આત્માની શ્રદ્ધા કરે તેને ધર્મ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com