Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 412
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી અનુભવ પ્રકાશ પ્ર-૬૫ ] [ ૪૦૧ સર્વજ્ઞ ત્રણ કાળ-ત્રણ લોકના સર્વ પદાર્થને જાણવાવાળા છે એમ કોણ નિર્ણય કરે છે? અલ્પજ્ઞ પર્યાયના આધારે સર્વજ્ઞનો નિર્ણય થતો નથી, પોતાના સર્વજ્ઞ સ્વભાવના આધારે તે નિર્ણય થાય છે. તેવો નિર્ણય કરનાર કહી શકે કે જે સમયે જે પર્યાય થવાની તે થવાની છે. પરની પર્યાય જે થવાની તે થવાની છે, તે કોના માટે સાચું? અલ્પજ્ઞતા ને રાગદ્વેષને હેય માની સર્વજ્ઞ સ્વભાવને ઉપાદેય માને ને સ્વભાવ તરફ વળે તેને માટે તે સાચું છે ને તેમાં જ પુરુષાર્થ વધે છે. સર્વજ્ઞની પ્રતીતિ અલ્પજ્ઞતાના આધારે થાય છે? ના; સર્વજ્ઞસ્વભાવના આધારે સર્વજ્ઞ થઈ શકાય છે એમ નિર્ણય ક૨ના૨ કહી શકે છે કે દરેક પદાર્થ વ્યવસ્થિત છે, કોઈ પણ પદાર્થ અવ્યવસ્થિત નથી. પદાર્થ નિશ્ચિત છે તેનો નિર્ણય કોણે કર્યો? જગતમાં સર્વજ્ઞ છે તેનો નિર્ણય કેવી રીતે કર્યો? અલ્પજ્ઞતા ને રાગદ્વેષને હૈય માની, સ્વભાવ ઉપાદેય છે એમ નિર્ણય કરે તો અલ્પજ્ઞતા ઘટી ઘટીને સર્વજ્ઞતા થાય છે, આમ વસ્તુસ્વરૂપ છે. આત્મા જ્ઞાનસ્વભાવી છે, પણ શરીરસ્વભાવી નથી, રાગદ્વેષસ્વભાવી પણ નથી. રાગદ્વેષ એક સમયના છે, જ્ઞાનદર્શન ત્રિકાળ છે–એમ ગુણીની રુચિ થતાં પર્યાયની રુચિ છૂટી જાય છે. ધર્મી વિચારે છે કે હું મારા જ્ઞાનદ્વાર વડે જાણું છું, જેવું સત્ય છે તેનું જ સ્વીકારવું તે ધર્મ છે. વિપરીત માનવું તે હિંસા છે. સ્વભાવની દષ્ટિ ને એકાગ્રતા કરવી તે અહિંસા છે. પ૨નો કર્તા-હર્તા માનવો ને રાગાદિમાં એકાગ્રતા કરવી તે હિંસા છે. હિંસા-અહિંસા કાર્ય છે, તે પર્યાયમાં થાય છે, દ્રવ્ય-ગુણમાં નથી. નિમિત્તથી કાર્ય થાય, પુણ્યથી ધર્મ થાય તે માન્યતા હિંસા છે. વર્તમાન પર્યાયમાં રાગદ્વેષ કર્મથી થતા નથી, પોતાની નબળાઈથી થાય છે પણ તે મારું ખરું સ્વરૂપ નથી, હું તો જ્ઞાનસ્વભાવી છું એમ જ્ઞાતાદ્રષ્ટામાં એકાગ્રતા કરવી તે અહિંસા છે. જડની પર્યાયનું અસ્તિત્વ જડમાં છે, પોતે પોતામાં છે. દેહને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427